નર્મદા કાંઠે ભારતના લોખંડી પુરુષ સરદાર વલ્લભભાઈ પટેલના સન્માનમાં બનાવવામાં આવેલ તેમની 182 મીટર ઊંચી વિશાળ પ્રતિમા સ્ટેચ્યુ ઓફ યુનિટીનું આજે અનાવરણ કર્યું. વડાપ્રધાન નરેન્દ્ર મોદી તેને આજે વિશ્વને સમર્પિત કર્યું.
નર્મદા જિલ્લામાં સાધુ બેટ પર બનાવાઈ છે. સ્ટેચ્યુ ઓફ યુનિટીનું પીએમ મોદીના હસ્ત લોકાર્પણ કર્યું. આ કાર્યક્રમમા ભાજપના દિગ્ગજ નેતાઓ પણ જોડાયા હતા.
સ્ટેચ્યુ ઓફ લિબર્ટી કરતા બે ગણી ઊંચી આ પ્રતિમા નર્મદા જિલ્લામાં સાધુ બેટ પર બનાવાઈ છે. જો કે પ્રથમ ગ્રાસે મક્ષિકા જેવો હાલ જોવા મળ્યો.
હજુ આજે જ લોકાર્પણ થયું અને વ્યુ ગેલેરી સુધી જવાની લિફ્ટ ખોરંભાઈ ગઈ. પીએમ મોદી રવાના થયાને કલાકમાં આ લિફ્ટ બંધ થઈ ગયેલી જોવા મળી.