સુરત,
સુરતના યુવરાજ નામના યુવક દ્વારા રાફેલ થીમ પર એક કંકોત્રી બનાવવામાં આવી હતી .જે સોશિયલ મીડિયા પર ખૂબ વાયરલ થયી હતી.વાયરલ થયેલ આ કંકોત્રીથી પ્રભાવિત થઈને વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ એક શુભેચ્છઆ પત્ર લખીને શુભકામના પણ પાઠવી હતી.અને હાલ આ પત્રને લંડન બુક ઓફ રેકોર્ડમાં મોસ્ટ વાયરલ વેડિંગ કાર્ડનું સ્થાન આપવામાં આવ્યું છે.
ઉલ્લેખનીય છે કે 22 જાન્યુઆરી સુરતમાં યુવરાજ અને સાક્ષીના લગ્ન થયા હતા.તેમણે જણાવ્યું હતું કે રાફેલ થીમ પર બનાવેલ તેમના વેડિંગ કાર્ડ ભારે ચર્ચા જગાવી હતી.વધારે વાયરલ થવાને કારણે ગુજરાત બુક ઓફ રેકોર્ડમાં પણ સ્થાન આપવામાં આવ્યું હતું.સાથે લંડન બુક ઓફ રેકોર્ડમાં નોંધણી કરાવી હતી.અને હાલ માં જ મોસ્ટ વાયરલ વેડિંગ કાર્ડનું સેર્ટિફિકેટે લંડનથી મોકલવામાં આવ્યું છે.વેડિંગ કાર્ડને લંડન બુક ઓફ રેકોર્ડ મોસ્ટ વાયરલ વેડિંગ કાર્ડ તરીકે સ્થાન મળી ચૂક્યું છે.
સુરત માં રહેતા અને આઇ.ટી કોચિંગ ક્લાસ ચલાવનાર યુવરાજ પોખરનાના લગ્ન જાન્યુઆરી માસમાં થયા હતા.તેમની કંકોત્રી માં યુવરાજ અને સાક્ષી એ મોદીજી ને વોટ આપી વિજયી બનાવવા અપીલ કરી હતી ..યુવરાજે પીએમ મોદી ને વિજયી બનાવવાની સાથે કંકોત્રી ના પાછલ ના ભાગે રાફેલ વિવાદ અંગેની કહાણી બે રાફેલ યુદ્ધ વિમાનો ની સાથે છાપી હતી..આ કંકોત્રી માં કેટલાક રાફેલ સાથે સંલગ્ન આંકડાઓ પણ પ્રદર્શિત કરવામાં આવ્યા હતા.
આ દંપતી નું કહેવું છે કે તેમને વિચાર્યું નહોતું કે તેમની કંકોત્રી આટલી બધી ફેમસ થશે .આ દંપતી મોદી જી ના પણ ખૂબ મોટા ફેન છે.અને હાલ તો તેઓ આ એવોર્ડ મળવાથી ખૂબ ખુશ છે.અને પોતાની ખુશી વ્યક્ત કરી રહ્યા છે .
નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાવ મંતવ્ય ન્યૂઝ સાથે…
તમે અમને ફેસબુક, ટ્વીટર, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.
લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ આપના ફોન પર સૌથી ઝડપી મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો “મંતવ્ય ન્યૂઝ” ની નવી મોબાઇલ એપ્લિકેશન.