સુરત
સુરતમાં ક્રાઇમનું પ્રમાણ દિવસેને દિવસે વધી રહ્યું છે. સોસિયો સર્કલ નજીક આવેલી યુનિક હોસ્પિટલની સામે જેનોન બિલ્ડીંગમાં નાનપુરા નાણાવટમાં રહેતા પીંકીકુંવર નામના કિન્નરની ઘાતકી હત્યા નીપજાવવામાં આવી હતી. સેલીના અને અજ્જુ ટમેટા સહિતના અન્ય ચારેક જેટલા ઈસમોએ મળીને પીંકીની હત્યા કરી હોવાનું કહેવામાં આવી રહ્યું છે.
કિન્નરને ગળામાં અને છાતિના ભાગે ચારથી પાંચ વાર તીક્ષ્ણ હથિયારના ઘા ઝીંકી હત્યા નીપજાવવામાં આવી હતી.ઘટના સ્થળે અને પીએમ રૂમ બહાર કિન્નરોએ ભારે રોકકળ કરી મુકી હતી અને ન્યાયની માંગણી કરી હતી. હત્યાં બાદ લોકોના ટોળા એક્ઠાં થઈ ગયાં હતાં. પોલીસના અધિકારીઓએ ઘટનાસ્થળે પહોંચીને વધુ તપાસ શરૂ કરી હતી.
કિન્નરની હત્યાને લઈને સવાલો ઉભા થયો હતા કે, ફરીથી દાપુને લઈને કિન્નરોના બે જૂથ વચ્ચે વોર શરૂ થઈ છે. પોલીસે ત્વરિત કાર્યવાહી કરતાં ત્રણ જેટલા આરોપીઓ ઝડપી લઈ વધુ પુછપરછ શરૂ કરી છે. સુરતના સલાબતપુરા વિસ્તારમાં રહેતા પીંકીકુંવર કિન્નરોમાં મોટું નામ ધરાવતાં હતાં. પીંકીકુંવર કિન્નરોમાં ગુરૂપરંપરા પ્રમાણે ગુરૂ હતાં.
25થી વધુ કિન્નરોના તેઓ ગુરૂ પણ હતાં. અને તેમને માર્ગદર્શન આપવાથી લઈને દાપુ ઉધરાવવા માટે પણ વ્યવસ્થા કરી આપતાં હતાં. સાથે જ કિન્નરોના પ્રશ્નો વખતે તેઓ હંમેશા આગળ રહેતા હતાં અને કિન્નરો માટે લડત લડતાં હતાં. થોડા દિવસો અગાઉ કિન્નરની મૃત મળેલી હાલતમાં મળેલી લાશ અંગે પીંકીકુંવરે અન્ય કિન્નરો સાથે મળીને પોલીસ કમિશનર સતિષકુમાર શર્માને અરજી કરી હતી અને અજ્જુ ટમેટા સહિતના નકલી કિન્નરો અસલી કિન્નરને હેરાન પરેશાન કરતાં હોવાની માહિતી આપી હતી અને તેમને કરવામાં આવતાં પરેશાનની સાથે ડુપ્લિકેટ કિન્નરો માર મારતાં હોવાનું પણ આવેદનપત્રમાં લખ્યું હતું.
એક કિન્નરની હત્યા થતા ચકચાર મચી ગઈ છે. જો કે આ કિન્નરની હત્યા કિન્નર દ્વારા જ કરવામાં આવી છે. રૂપિયા માગવાના મામલામાં તીક્ષણ હથિયારના ઘા મારીને આ હત્યા કરાઈ અને હત્યા બાદ મૃતક કિન્નરની લાસને યુનિક હોસ્પિટલ પાસે ફેંકી દેવામાં આવી હતી. ઘટના અંગે જાણ થતા ખટોદરા પોલીસ ઘટનાસ્થળે પહોંચી ગઈ અને કાર્યવાહી શરૂ કરી છે.