વડોદરામાં 40 વર્ષીય ઇસમની હત્યા કરેલી હાલતમાં લાશ મળી આવતાં ચકચાર મચી જવા પામી હતી.અર્જુનસિંહ ચૌહાણ નામના આ ઇસમની બોથડ પદાર્થ મારીને હત્યા કરી હોવાનું સામે આવ્યું છે.
આ ઇસમ ખાટલામાં સુતા હતા તે સમયે બોથડ પદાર્થ માર્યો હતો.જેના કારણે શરીરના ભાગે ઇજા પહોંચી હતી.ઘટના અંગેની જાણ થતાં પોલીસ ઘટના સ્થળે આવી પહોંચી હતી અને ડોગ સ્કવોર્ડની મદદથી હત્યારાઓની શોધખોળ હાથ ધરી.
ઉલ્લેખનીય છે કે આ હત્યારાઓએ કયાં કારણોસર હત્યા કરી તે અકબંધ છે. જેમ જેમ દિવસ જાય છે તેમ તેમ રાજ્યમાં ગુના વધી રહ્યા છે.
નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાવ મંતવ્ય ન્યૂઝ સાથે…
તમે અમને ફેસબુક, ટ્વીટર, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.
લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ આપના ફોન પર સૌથી ઝડપી મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો “મંતવ્ય ન્યૂઝ” ની નવી મોબાઇલ એપ્લિકેશન.