નવસારીના ગણદેવી તાલુકાના અંભેટા ગામ પાસે ત્રિપલ અકસ્માત સર્જાયો હતો. જેમાં યુવકનું ઘટના જ સ્થળે મોત નીપજ્યું હતું. અકસ્માત એટલો ભયંકર હતો કે, 2 કલાકની ભારે જહેમત બાદ જેસીબી મશીનથી કાઢવામાં આવ્યા હતો.
નવસારીમાં ત્રિપલ અકસ્માત સર્જાતા ખળભળાટ મચી જવા ગયો હતો. મળતી માહિતી મુજબ, શેરડી ભરેલી ટ્રક, ટેમ્પો અને કાર આ ત્રણેય એકસાથે અથડાઇ હતી.
જેમાં એકનું ઘટના સ્થળે જ કરૂણ મોત નિપજ્યું હતું. જ્યારે રોડને અડીને શાકભાજીનું વેચાણ કરતી સાત બહેનોને અકસ્માતમાં ઘાયલ થયા હતા. જેને સારવાર અર્થે હોસ્પિટલ ખાતે ખસેડવામાં આવ્યા હતા.
ઘટનાની જાણ થતાં પોલીસ ઘટના સ્થળે આવી પહોંચી હતી અને વધુ તપાસ હાથ ધરી હતી. આ ઘટના ગણદેવીના અભેટા ગામ પાસે થઈ હતી.