અમદાવાદ,
અમદાવાદમાં સોલામાં સર્જાયેલા દેશી દારૂકાંડ બાદ વાસણામાં રહેતા એક વ્યક્તિનું દારૂ પીધા બાદ મોત થયાનો મામલો સામે આવ્યો છે.
વાસણાના યોગેશ્વરનગર ખાતે રહેતા અશોકભાઈનું મોત થયું. ત્યારે તેમના પરિવારજનોનું કહેવું છે કે દારૂ પીધા બાદ તેમનું મોત થયું હતું.
7 તારીખે તેમણે દેશી દારૂ પીધો હતો અને બીજા દિવસે 8 જુલાઈએ તેમની તબિયત બગડતા તેમને વીએસ હોસ્પિટલમાં દાખલ કરાયા.
જ્યાં તેમનું મોત થયું. જો કે વીએસ હોસ્પિટલના આર.આમ.ઓએ અશોકભાઈનું મોત દારૂની અસરને કારણે થયાની વાતને નકારી કાઢી છે.
પોસ્ટમોર્ટમ રીપોર્ટ અને એફ.એસ.એલ રિપોર્ટ બાદ અશોકભાઈનું મોત શા કારણે થયું તે તેની હકીકત સામે આવશે.