Not Set/ નર્મદા ડેમ ઐતિહાસિક સપાટી પર, ડેમના 7 ગેટ ખોલાયા

રાજ્યમાં ભારે વરસાદના કારણે નર્મદા ડેમમાં નવા નીર આવ્યાં છે. ત્યારે હાલ ફરીથી સરદાર સરોવર નર્મદા ડેમની જળ સપાટી વધી છે. મધ્યપ્રદેશમાં ભારે વરસાદ બાદ ઇન્દિરા સાગર ડેમમાંથી નર્મદા ડેમમાં પાણી છોડવામાં આવ્યું છે. જેને કારણે ડેમની સપાટીમાં વધારો થયો છે. સરદાર સરોવરમાં 1,17,000 ક્યૂસેક પાણીની આવક થતાં નર્મદા બંધ 132.41 મીટરની ઐતિહાસિક સપાટીએ પહોંચ્યો […]

Top Stories Gujarat Others
aaaam 1 નર્મદા ડેમ ઐતિહાસિક સપાટી પર, ડેમના 7 ગેટ ખોલાયા

રાજ્યમાં ભારે વરસાદના કારણે નર્મદા ડેમમાં નવા નીર આવ્યાં છે. ત્યારે હાલ ફરીથી સરદાર સરોવર નર્મદા ડેમની જળ સપાટી વધી છે. મધ્યપ્રદેશમાં ભારે વરસાદ બાદ ઇન્દિરા સાગર ડેમમાંથી નર્મદા ડેમમાં પાણી છોડવામાં આવ્યું છે. જેને કારણે ડેમની સપાટીમાં વધારો થયો છે.

સરદાર સરોવરમાં 1,17,000 ક્યૂસેક પાણીની આવક થતાં નર્મદા બંધ 132.41 મીટરની ઐતિહાસિક સપાટીએ પહોંચ્યો છે. જેના કારણે ડેમનાં હાલ 7 દરવાજા ખોલવામાં આવ્યાં છે.

જો પાણીની જાવકની વાત કરવામાં આવે તો 116085 ક્યૂસેક પાણીની જાવક થઇ છે. ડેમના કેચમેન્ટ વિસ્તારમાં પાણીનો વધારો થયો છે. હાલ ડેમની જળસપાટી 132.41 મીટર પર પહોચી છે.જ્યારે રીવર બેડ પાવર હાઉસના 1200 મેગાવોટના 6 યુનિટ પણ ચાલુ છે. જે છેલ્લા 12 દિવસથી સતત ચાલુ છે.

ઉપરવાસમાં વરસાદને પગલે મધ્યપ્રદેશના ઈન્દિરા સાગર ડેમમાંથી 1 લાખ 17 હજાર ક્યુસેક પાણી છોડાયું છે. જેને કારણે સરદાર સરોવર નર્મદા ડેમની જળ સપાટી 132.41 મીટરે પહોંચી ગઈ છે.

આ પાવર હાઉસમાં 24 કલાકમાં 30 મિલિયન યુનિટ વીજળીનું ઉત્પાદન થઈ રહ્યું છે. જ્યારે કેનાલ હેડ પાવર હાઉસનાં 2 ટર્બાઇન પણ ચાલુ કરવામાં આવ્યા છે. આમ અંદાજીત 7 કરોડ ની રોજની વીજળી ઉત્પાદન થઈ રહી છે.

ઉલ્લેખનીય છે કે, તાજેતરમાં જ નર્મદા ડેમના 30 દરવાજા ખોલવામાં આવ્યા હતા, જેને પગલે નદી બે કાંઠે વહેતી થઈ હતી.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાવ મંતવ્ય ન્યૂઝ સાથે

તમે અમને ફેસબુકટ્વીટરઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ આપના ફોન પર સૌથી ઝડપી મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો “મંતવ્ય ન્યૂઝ ની નવી મોબાઇલ એપ્લિકેશન.