Ahmedabad News: ગુજરાતમાં 15 ઓગસ્ટથી રક્ષાબંધન સુધીની લાંબી રજાઓ આવી રહી છે તેથી હવે જો ફ્લાઇટમાં બહાર ફરવા જવાનો પ્લાન બનાવનારા માટે આ સમાચાર મહત્વના છે. એક તો 15 ઓગસ્ટ હોવાથી સલામતી વધારવામાં આવી છે. બીજું રજાઓ હોવાથી મુસાફરોનો ધસારો પણ વધારો રહેશે.
અમદાવાદના સરદાર વલ્લભભાઈ પટેલ ઇન્ટરનેશનલ ઍરપૉર્ટ ઑથોરિટી દ્વારા એક એડવાઇઝરી જાહેર કરવામાં આવી છે. તેમાં જણાવાયું છે કે આ અઠવાડિયે 15 ઑગસ્ટના કારણે અમદાવાદ એરપોર્ટ પર સિક્યોરિટી વધારાઈ છે, જેથી દરેક મુસાફરે શક્ય એટલું વહેલું એરપોર્ટ પર પહોંચી જવું હિતાવહ છે.
આ સપ્તાહે તહેવારોના લીધે લાંબી રજાઓ આવતી હોવાથી મુસાફરોનો ધસારો વધવાની સંભાવના છે. આ કારણસર સિક્યોરિટી પ્રોટોકોલ અને ચેક-ઈન સહિતની પ્રક્રિયામાં વધુ સમય જશે. આમ, ફ્લાઇટ ઑપરેશનમાં કોઇ મોડું ન થાય અને સિક્યોરિટી ચેકિંગ માટે ઑફિસર્સને અને મુસાફરોને પૂરતો સમય મળી રહે તે માટે આ એડવાઇઝરી જાહેર કરાઈ છે. મુસાફરો કોઈ મુશ્કેલીમાં ના મૂકાય તે માટે ઍરપૉર્ટ ઓથોરિટીએ તમામને વહેલા પહોંચવાની અપીલ કરી છે.
આ પણ વાંચો:ગુજરાતમાં વરસાદને લઈ હવામાન વિભાગે શું કહ્યું….
આ પણ વાંચો: સાળંગપુર કષ્ઠભંજન દેવનો જુઓ દિવ્ય શણગાર, જોઈને અભિભુત થઈ જશો!
આ પણ વાંચો: પાટણમાં શ્રાવણીયો જુગાર રમતા 27 ઝડપાયાં
આ પણ વાંચો: બનાસકાંઠાની વિદેશ ગયેલી શિક્ષિકાનો આચાર્ય પર લાંચ માંગ્યાનો આરોપ