Gyanvapi Case: જ્ઞાનવાપી કેસને લઈને મુસ્લિમ પક્ષને મોટો ફટકો પડ્યો છે. સુપ્રીમ કોર્ટે કહ્યું કે વ્યાસ ભોંયરામાં પૂજા ચાલુ રહેશે. સુપ્રીમ કોર્ટે વ્યાસ ભોંયરામાં પૂજા કરવાના વારાણસી કોર્ટના આદેશ પર સ્ટે આપવાનો ઇનકાર કરી દીધો છે. આ સાથે સુપ્રીમ કોર્ટે હિન્દુ પક્ષને પણ નોટિસ આપી છે. આદેશ જારી કરતી વખતે કોર્ટે મસ્જિદની ગૂગલ અર્થ ઇમેજ રજૂ કરવાનું કહ્યું છે.
આજે સુનાવણી દરમિયાન મુસ્લિમ પક્ષ તરફથી વકીલ હુઝૈફા અહમદીએ જણાવ્યું હતું કે વ્યાસ ભોંયરા કેસમાં કબજો સોંપવા માટે સાત દિવસનો સમય આપવામાં આવ્યો હતો. હાઈકોર્ટે કોઈ રાહત આપી નથી. અહીં પૂજા ચાલુ છે. અહેમદના કહેવા પ્રમાણે, છેલ્લા 30 વર્ષથી અહીં પૂજા થતી નહોતી. આવી સ્થિતિમાં આ કોર્ટે નીચલી કોર્ટના આદેશ પર સ્ટે મૂકવો જોઈએ. આ જગ્યા મસ્જિદ પરિસરની અંદર આવે છે, તેથી તેને મંજૂરી આપવી યોગ્ય નથી.
મુસ્લિમ પક્ષની શું છે દલીલ?
અહમદીના કહેવા પ્રમાણે, રાજ્ય સરકારના આદેશ પર 1993થી આ કબજો તેમની પાસે હતો. છેલ્લા 30 વર્ષથી પૂજા થતી ન હતી. આવી સ્થિતિમાં પ્રતિબંધ ચાલુ રાખવો જોઈએ. તેના પર સીજેઆઈએ કહ્યું કે હાઈકોર્ટને જાણવા મળ્યું છે કે પ્રારંભિક કબજો વ્યાસ પરિવાર પાસે હતો. આ પછી અહમદીએ કહ્યું કે આ તેમનો દાવો છે. આવા કોઈ પુરાવા નથી. આ એક મસ્જિદની જગ્યા છે. હું ઇતિહાસમાં રહેવા માંગતો નથી. સિવિલ કોર્ટ આવો આદેશ કેવી રીતે આપી શકે?
આ પણ વાંચો:ભારતના અરુણાચલ પ્રદેશ મામલે ચીનની હેરાનગતિ વધી, વિવિધ સ્થળોના 30 નામોની બહાર પાડી યાદી
આ પણ વાંચો:કેજરીવાલને જયુડિશીયલ કસ્ટડીમાં 15 એપ્રિલ સુધી જેલમાં ખાશે રોટલી…
આ પણ વાંચો:બંગાળના જલપાઈગુડીમાં વાવાઝોડાના કારણે મૃત્યુઆંક 5, 100થી વધુ ઘાયલ
આ પણ વાંચો:એપ્રિલ ! ખુશ ખબર, ગેસ સિલિન્ડરની કિમંતોમાં સતત વધારા બાદ કરાયો ભાવમાં ઘટાડો