જ્ઞાનવાપી કેસમાં મંગળવારે સુપ્રીમ કોર્ટે મોટો આદેશ આપ્યો છે. કોર્ટે જ્ઞાનવાપીના સીલબંધ વિસ્તારમાં સ્થિત કથિત શિવલિંગ ધરાવતી ટાંકીને સાફ કરવાની મંજૂરી આપી છે. હિન્દુ પક્ષે આ મામલે 2 જાન્યુઆરીએ અરજી દાખલ કરી હતી. હિંદુ પક્ષે કહ્યું કે સીલ કરાયેલ વિસ્તારને સાફ કરવામાં આવે. કારણ કે તેમાં રહેલી માછલીઓ મરી રહી છે અને સફાઈના અભાવે દુર્ગંધ ફેલાઈ રહી છે.
ઉલ્લેખનીય છે કે શિવલિંગ ધરાવતો વિસ્તાર સુપ્રીમ કોર્ટના આદેશ પર સીલ કરવામાં આવ્યો હતો. જ્યાં કથિત શિવલિંગ સ્થિત છે તે વિસ્તાર પાણીથી ભરેલો છે. જેમાં માછલીઓ પણ છે. આ માછલીઓના મૃત્યુને કારણે ત્યાં દુર્ગંધ ફેલાઈ રહી છે. તેથી, સુપ્રીમ કોર્ટમાં અરજી દાખલ કરવામાં આવી છે અને જિલ્લા મેજિસ્ટ્રેટ વારાણસીને સફાઈ માટે નિર્દેશ આપવાની માગ કરવામાં આવી છે.
સુપ્રીમ કોર્ટે 16 જાન્યુઆરી, મંગળવારના રોજ આ મામલાની સુનાવણી કરતા ટાંકીની સફાઈ માટે નિર્દેશ આપ્યા છે. સુપ્રીમ કોર્ટે કહ્યું છે કે કથિત શિવલિંગ સાથે છેડછાડ ન થવી જોઈએ. ટાંકીની સફાઈ ડીએમ વારાણસીની દેખરેખ હેઠળ થવી જોઈએ. સુપ્રીમ કોર્ટે કહ્યું કે અગાઉના આદેશનો અનાદર ન થાય તેનું પણ ધ્યાન રાખવું જોઈએ. કોઈ પણ વસ્તુ સાથે છેડછાડ થવી જોઈએ નહીં. મુસ્લિમ પક્ષ પણ આ માટે સહમત છે.
આ પણ વાંચો:તલોદના રોયલ પાર્ક સોસાયટીમાંથી યુવાનનો મૃતદેહ મળતા ચકચાર
આ પણ વાંચો:સુરતમાં BRTSની રેલિંગથી અથડાતા યુવાનનું મોત
આ પણ વાંચો:અમિત શાહની મોટી બહેનનું મુંબઈમાં નિધન, કેન્દ્રીય મંત્રીએ તમામ કાર્યક્રમો કર્યા રદ્દ