હોબાળો/ સુરેન્દ્રનગરમાં આપના કાર્યકરોનો હલ્લાબોલ, કલેકટરને આપ્યો આવેદનપત્ર

  @સચિન પીઠવા, સુરેન્દ્રનગર, મંતવ્ય ન્યુઝ. ભાજપના સાંસદ અને વિદેશ રાજ્ય કક્ષાના મંત્રીએ જગતના તાતનું અપમાન કર્યુ છે : આપ   – સુરેન્દ્રનગર આપ આગેવાનોએ કલેક્ટર કચેરીમાં આવેદન પાઠવી માંફી માંગવા માંગ કરી   – જો માફી નહીં માંગે તો વિરોધ પ્રદર્શન અને ધરણા કરવાની ચિમકી ઉચ્ચારાઇ   સુરેન્દ્રનગર આમ આદમી પાર્ટી આગેવાનોએ જિલ્લા કલેક્ટર […]

Gujarat
IMG 20210724 WA0081 સુરેન્દ્રનગરમાં આપના કાર્યકરોનો હલ્લાબોલ, કલેકટરને આપ્યો આવેદનપત્ર

 

@સચિન પીઠવા, સુરેન્દ્રનગર, મંતવ્ય ન્યુઝ.

ભાજપના સાંસદ અને વિદેશ રાજ્ય કક્ષાના મંત્રીએ જગતના તાતનું અપમાન કર્યુ છે : આપ

 

– સુરેન્દ્રનગર આપ આગેવાનોએ કલેક્ટર કચેરીમાં આવેદન પાઠવી માંફી માંગવા માંગ કરી

 

– જો માફી નહીં માંગે તો વિરોધ પ્રદર્શન અને ધરણા કરવાની ચિમકી ઉચ્ચારાઇ

 

સુરેન્દ્રનગર આમ આદમી પાર્ટી આગેવાનોએ જિલ્લા કલેક્ટર કચેરીમાં આવેદન પાઠવ્યુ હતુ. જેમાં ભાજપના સાંસદ અને વિદેશ રાજ્યકક્ષાના મંત્રીએ જગતના તાતનું અપમાન કર્યુ હોવાથી જાહેરમાધ્યમથી માફી માંગવા માંગ કરી હતી. જો તેમ નહીં કરેતો આંદોલનની ચીમકી આપી હતી.

 

સુરેન્દ્રનગર આમ આદમી પાર્ટી જિલ્લા પ્રમુખ હિતેશભાઇ નાયકપરાની આગેવાનીમાં કમલેશભાઇ કોટેચા, પરષોતમભાઇ મકવાણા સહિત આગેવાનોએ સુરેન્દ્રનગર કલેક્ટર કચેરીમાં આવેદન પાઠવ્યુ હતુ. જેમાં જણાવ્યા મુંજબ ભારત દેશ ખેતીપ્રધાન દેશ છે ખેડૂત એટલે ધરતી પરનો ભગવાન જે પરસેવો પાડી ધાન્ય પકવી લોકોનુ પેટ ભરતા હોવાથી જગતના તાત તરીકે ઓળખાય છે.આથી જય જવાન અને જય કિશાન જેવા નારાથી દેશના રીયલ હીરોને આદર સન્માન અપાયા છે.ત્યારે ભારતીય જનતા પાર્ટીના વિદેશ રાજ્યમંત્રી મીનાક્ષી લેખીએ મિડીયામાં ખેડૂતો મવાલી છે તેવુ નિવેદન આપ્યુ છે. મવાલી એટલે ગુંડા, આવારા અને અસામાજીક તત્વો માટે વપરાતા શબ્દો સાંસદ ને વિદેશ રાજ્યકક્ષાના મંત્રી એ કહી ખેડૂતોનુ સ્વમાન અને સ્વાભિમાનનું હનન કર્યુ હોવાથી તેનો સખત શબ્દોમાં વિરોધ કરીએ છીએ.અને આમ બોલનાર મંત્રી જાહેર માધ્યમથી ખેડૂતોની માફી માંગે તેવી માંગ કરી હતી.જો તેમ નહીં કરાય તો વિરોધ પ્રદર્શન અને ધરણા કરવાની ચિમકી આપી હતી.