વડોદરા,
સુરતમાં અલ્પેશ કથિરીયા ના ગૃહપ્રવેશ માટે યોજાયેલા ભવ્ય કાર્યક્રમને પૂર્ણ કરી તેઓ પાટીદાર અનામતને આગળ ધપાવવા માટે સુરતથી અમદાવાદ આવવા નીકળ્યા હતા.
જેમાં તેઓ આંદોલનની રણનિતીના ભાગરૂપે વડોદરા ખાતે થોડા સમય માટે રોકાણ કરવાના હોવાથી વવડોદરા પહોંચ્યા હતા.જયાં તેઓનું સ્વાગત કરવામાં આવ્યું હતું.
અનામત આંદોલનની રણનીતિને વધુ આક્રમક બનાવાશે એમ હાર્દિક પટેલે જણાવ્યું હતું.જયારે અલ્પેશ કથિરીયાએ હાર્દિક સાથે મળીને અનામત માટે આંદોલન ચાલુ રખાશે તેમ કહયું હતું.