અમદાવાદ,
અમદાવાદમાં કોંગ્રેસની વર્કિગ કમીટીની બેઠક બાદ અડાલજ ખાતે રાહુલ ગાંધીએ જન સંકલ્પ રેલીને સંબોધિત કરી હતી .જેમાં રાહુલ ગાંધીએ વડાપ્રધાન પર નિશાન સાધ્તા જણાવ્યુ હતું કે ભાજપ સરકારમાં લોકશાહી ખતરામાં છે અને દેશની સ્વતંત્ર સંસ્થાનોનો દૂર ઉપયોગ કરવામાં આવી રહ્યો છે. વધુમાં તેમને ઉમેર્યું હતું કે કોંગ્રેસ આગામી લોકસભાની ચૂંટણીમાં ભાજપને પરાજીત કરશે.
ત્યારે બાદ રાહુલ ગાંધીએ એરપોર્ટ પર મીડિયા સાથે વાતચીત કરતા હાર્દિક મામલે મોટું નિવેદન આપ્યું હતું. હાર્દિક પટેલ લોકસભાની ચૂંટણી લડશે અને રાહુલ ગાંધીએ આત્મવિશ્વાસથી કહ્યું કે હાર્દિક પટેલ લોકસભાની ચૂંટણી જીતશે જ.