આજે દેશનાં પ્રથમ વડા પ્રધાન જવાહરલાલ નહેરુની જન્મજયંતિ દેશભરમાં ઉજવવામાં આવી રહી છે. દરમિયાન કોંગ્રેસ અધ્યક્ષ સોનિયા ગાંધી, પૂર્વ રાષ્ટ્રપતિ પ્રણવ મુખર્જી, પૂર્વ ઉપરાષ્ટ્રપતિ હામિદ અન્સારી અને ભૂતપૂર્વ વડા પ્રધાન મનમોહન સિંહે ભારતનાં પ્રથમ વડા પ્રધાન જવાહરલાલ નેહરુને તેમની જન્મજયંતિ પર શ્રદ્ધાંજલિ આપી હતી.
સોનિયા ગાંધીએ દેશનાં પહેલા વડાપ્રધાનને શ્રદ્ધાંજલી આપી.
પીએમ મોદીએ ટ્વિટ કરીને પૂર્વ વડા પ્રધાન પંડિત જવાહરલાલ નહેરુની જન્મજયંતિ નિમિત્તે શ્રદ્ધાંજલિ આપી
આજે છે બાલ દિવસ, જાણો છો કેમ મનાવાય છે
દર વર્ષે 14 નવેમ્બર રાષ્ટ્રવ્યાપી બાળ દિવસ તરીકે ઉજવવામાં આવે છે. દેશનાં પહેલા વડા પ્રધાન પંડિત જવાહરલાલ નહેરુનો જન્મ 14 નવેમ્બરનાં રોજ થયો હતો. પંડિત નહેરુ બાળકોને ખૂબ પ્રેમ કરતા હતા, તેથી જ બાળકો તેમને પ્રેમથી ચાચા નેહરુ કહેતા. તેથી બાળકો માટે પ્રેમ અને જોડાણના મહત્વને સમજવા માટે દર વર્ષે 14 નવેમ્બર બાળ દિવસ તરીકે ઉજવવામાં આવે છે. પંડિત નહેરુ માનતા હતા કે લોકો આપણા વિશે જે વિચારે છે તે વાસ્તવિક જીવનમાં આપણે જે કરતાં હોય છે તેના કરતા વધારે મહત્વ ધરાવે છે.
નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાવ મંતવ્ય ન્યૂઝ સાથે…
તમે અમને ફેસબુક, ટ્વીટર, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.
લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ આપના ફોન પર સૌથી ઝડપી મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો “મંતવ્ય ન્યૂઝ” ની નવી મોબાઇલ એપ્લિકેશન.