જમ્મુ-કાશ્મીરના બારામુલ્લામાં આતંકવાદી હુમલામાં એક પોલીસકર્મી ગુલામ મોહમ્મદ ડાર શહીદ થયા છે. આતંકવાદીઓ તેમના ઘરમાં ઘૂસી ગયા અને ગોળીબાર કર્યો હતો.આ ગોળીબારમાં તેઓ શહીદ થયા હતા.
#Terrorists fired upon one JKP personnel HC Gh Mohd Dar resident of Wailoo Kralpora in #Baramulla at his residence. Shifted to SDH Tangmarg for treatment. Health condition critical.@JmuKmrPolice
— Kashmir Zone Police (@KashmirPolice) October 31, 2023
અજાણ્યા આતંકવાદીઓના હુમલામાં ગુલામ મોહમ્મદ ડાર ગંભીર રીતે ઘાયલ થયા હતા. તેને સારવાર માટે SDH તંગમાર્ગમાં લઈ જવામાં આવ્યા હતા. ગંભીર રીતે ઘવાયેલા ડારનું મોત થયું હતું. આતંકવાદીઓએ ત્રણ દિવસમાં ત્રીજી ઘટનાને અંજામ આપ્યો છે, જ્યારે ત્રણ દિવસમાં પોલીસ પર આ બીજો હુમલો છે. ઇન્સ્પેક્ટર મસૂર અલી પર રવિવારે શ્રીનગરમાં હુમલો થયો હતો અને તે હજુ પણ હોસ્પિટલમાં છે.