ગુજરાતનાં વાતાવરણમાં વાયુ સાયક્લોનની અસર જોવા મળી રહી છે ત્યારે આ વાવાઝોડુ ભલે ગુજરાતનાં દરિયા કિનારાથી દૂર છે તેમ છતાં વાતાવરણમાં ચોક્કસથી તેની અસર જોવા મળી રહી છે, અમદાવાદમાં પણ વાતાવરણમાં પલટો જોવા મળ્યો હતો, વહેલી સવારથી જ આકાશમાં કાળા ડિબાંગ વાદળો ધેરાયા હતા અને અમુક વિસ્તારોમાં વરસાદનાં છાંટા પણ પડ્યા હતા..
અત્યારે પવન સાથે ધોધમાર વરસાદ શરૂ થઇ ગયો છે. પશ્ચિમ વિસ્તારમાં પડ્યો વરસાદ જયારે મણિનગર અને ખોખરામાં ભારે પવન સાથે વરસાદ વરસી રહ્યો છે. જયારે વડોદરાના ડભોઈ અને સાવલીમાં વાતાવરણમાં પલટો આવતા મેઘરાજાની પધરામણી થવા પામી છે.