વિનાશક વાવાઝોડું સૌરાષ્ટ્ર બાદ હવે સુરત તરફ આગળ વધી રહ્યું છે. જેમાં સુરતમાં ભારે પવન સાથે ધોધમાર વરસાદ પડતો જોવા મળી રહ્યો છે . વાવાઝોડાની અસર સમગ્ર શહેરમાં જોવા મળી રહી છે .પવન પ્રતિ કલાક 60 કિમીની ઝડપે ફૂંકાય રહ્યો છે.જેમના લીધે ખેતીપાકને કરોડો રૂપિયાનું નુકશાન થઇ રહ્યું છે .
સુરત ગ્રામ્યમાં ભારે પવન ફૂંકાયો.જેમાં વાવાઝોડાએ ખેતરોને કર્યા ખેદાન મેદાન કર્યું તેમજ ખેતરોમાં ડાંગરોના પાકમાં પાણી ભરાયા .
ભરાયા સુરતમાં ખરાબ રસ્તાને લીધે ભાઠેના બ્રિજ પાસેની ઘટના બની જેમાં લઈ ટ્રકે મારી પલટી .જોકે સદનસીબે કોઈ સદનસીબે કોઈ જાનહાની નહીં. સુરતના અમરોલી મનિષા ગરનાળામાં પાણી ભરાયા. સિટી બસ ગરનાળામાં ફસાઈ.
સુરતના કાપોદરામાં ભારે પવન ફૂંકાયો જેમાં બિલ્ડિંગની અગાસી પર બનાવેલા શેડના છાપરા ઉડ્યા.
જેમાં ઘટનામાં કોઇને પણ ઇજા ન પહોંચી હોવાના અહેવાલ મળ્યા હતા .આ ઉપરાંત તરસાડીમાં હનુમાનજી મંદિરમાં ભરાયા પાણી ભરાયા હતા .જેમાં હનુમાનજી મૂર્તિ પણ પાણીમાં ગરકાવ થતી જોવા મળી રહી હતી.