સમગ્ર ભારતમાં રક્ષાબંધન પર્વની ઉજવણી થઈ રહી છે. ત્યારે બનાસકાંઠા જીલ્લાનું એક એવું ગામ કે જ્યાં રક્ષાબંધનના દિવસને અશુભ માનવામાં આવે છે. અને એક દિવસ પૂર્વે એટલે રક્ષાબંધન ના એક દિવસ અગાઉ આ તહેવાર ઉજવી લેવામાં આવે છે. એક દિવસ અગાઉ ભાઈને બહેન રાખડી બાંધે છે. એક દિવસ અગાઉ રક્ષાબંધન ઉજવવા પાછળનું કારણ આપ જાણશો તો દંગ રહી જશો.
પાલનપુરથી 6 કી.મી. દુર આવેલ પાલનપુર તાલુકાના ચડોતર ગામમાં આખા ગામની દીકરીઓ ભાઈને રાખડી બાંધીને એકદિવસ પહેલા જ રક્ષાબંધનની ઉજવણી કરે છે. છેલ્લા 200 વર્ષથી પરંપરા મુજબ રક્ષાબંધનના આગળના દિવસે ચડોતર ગામમાં ભાઈ-બહેનના પવિત્રબંધન રક્ષાબંધન મનાવવામાં આવે છે. ચડોતર ગામની લોકવાયકા મુજબ વર્ષો પહેલા આ ગામમાં રોગચાળો ફાટી નીકળ્યો હતો અને મોટા પ્રમાણમાં પશુ અને જાનમાલનું નુકશાન થયું હતું.
તેની દહેશતના પગલે ગામના લોકો ત્રાહિમામ પોકારી ઉઠયા હતા. ત્યારે ગ્રામજનોએકત્ર થઈને ગામના પુજારી પાસે ગયા ત્યારે પુજારી એ ચડોતર ગામની સુખ અને સલામતી ના રક્ષણ માટે ગામની દીકરીઓને રક્ષાબંધન ના એક દિવસ આગાઉ ભાઈ ને રાખડી બાંધવાનું સુચન કર્યું હતું. ત્યારથી આ પરંપરા આજે પણ ચડોતર ગામમાં યથાવત છે.
લોક વાયકા મુજબ ગામમાં વર્ષો પહેલા ભયંકર રોગ ચાળો ફેલાઈ ગયો હતો જેના કારણે મોટા પ્રમાણમાં લોકો અને પશુઓ ના મોત નિપજ્યા હતા જેના કારણે ગામ ના લોકો ગભરાઈ ગયા હતા અને ગામના શિવજીના મંદિરમાં એક તપસ્વી સંત પાસે ગયા અને પુરી વાત કરી જેના કારણે પુજારીએ કહ્યું કે આખા ગામ માંથી દૂધ ભેગું કરો અને આખા ગામના દરેક ખૂણે -ખૂણે છાંટી દો જેથી ગામના લોકો એ દૂધ ભેગું કરી ને આખા ગામ માં છંટકાવ કર્યો.
જેના કારણે થોડી જ વાર માં બધુજ શાંત થઈ ગયું ત્યાર બાદ સંતે કહ્યું કે આજ પછી હવે રક્ષાબંધન ના દિવસે આપડા ગામ માં કોઇ બહેન પોતાના ભાઈની કલાઈ પર રાખડી બાંધે નહી ત્યારથી લઈને આજ દિન સુધી ચડોતર ગામમાં ની એક પણ બહેન પોતાના ભાઈને રાખડી બાંધતી નથી.
હિંમતનગર/ જમીનમાં દાટેલી હાલતમાં મળી આવેલી બાળકી જિંદગીની જંગ હારી, નવમા દિવસે કમકમાટી ભર્યું મોત