દારૂ કૌભાંડ કેસમાં સીએમ કેજરીવાલની મુશ્કેલીઓ વધી રહી છે ત્યારે દિલ્હી હાઈકોર્ટે પૂર્વ AAP ધારાસભ્ય સંદીપ કુમારને તેમની ત્રીજી અરજી ફગાવીને સખત ઠપકો આપ્યો છે. આ ઉપરાંત કોર્ટે અરજીકર્તા પર 50 હજાર રૂપિયાનો દંડ પણ ફટકાર્યો છે. દિલ્હી હાઈકોર્ટે અરજદારને પૂછ્યું કે શું એવો કોઈ આદેશ છે કે જેમાં હાઈકોર્ટ કે સુપ્રીમ કોર્ટે કોઈ પણ મુખ્યમંત્રીને હટાવવાનો નિર્દેશ આપ્યો હોય, તો કૃપા કરીને જણાવો. તમે આ અરજી દાખલ કરીને કોર્ટનો સમય બગાડો છો અને તેથી જ અમે તમને ભારે દંડ ફટકારી રહ્યા છીએ.
કોર્ટે વધુમાં કહ્યું કે, કોર્ટની અંદર રાજકીય ભાષણ ન આપો, ભાષણ આપવા માટે ગલીના કોઈ નાકે જાઓ. તમારા અરજદારો રાજકીય વ્યક્તિઓ હશે પરંતુ અદાલત રાજકીય મહત્વાકાંક્ષાના આધારે ચાલતી નથી. તમે સિસ્ટમની મજાક ઉડાવી છે. અમે તમારા પર 50 હજાર રૂપિયાનો દંડ લગાવી રહ્યા છીએ. AAPના પૂર્વ ધારાસભ્ય સંદીપ કુમારની અરજી પર દિલ્હીએ કહ્યું કે અમે કેજરીવાલના કેસમાં અરજી ફગાવી ચૂક્યા છીએ.
કોર્ટે આકરી ટીપ્પણી કરી
જ્યારે વકીલે કોર્ટમાં ચુકાદો વાંચી સંભળાવ્યો અને કહ્યું કે તમિલનાડુના મુખ્યમંત્રીને તેમના પદ પરથી હટાવવામાં આવ્યા છે, ત્યારે કોર્ટે નારાજગી વ્યક્ત કરી અને કહ્યું કે આ દોષિત ઠરાવવાનો ચુકાદો છે અને તેના કારણે તેઓ ગેરલાયક ઠર્યા છે. કોર્ટે અરજદારના વકીલને કહ્યું કે અમે તમારા પર ભારે દંડ લગાવીશું અને આ દરરોજ ન ચાલી શકે, આ તમારી ત્રીજી અરજી છે. કોર્ટે કહ્યું કે આ અંગે વિગતવાર આદેશ આપવામાં આવશે. કોર્ટે કહ્યું કે તમારા જેવા અરજદારોને કારણે જ કોર્ટની બહાર મજાક ઉડાવવામાં આવે છે.
આ પણ વાંચો:અમિત શાહ આજે બિહારમાં ગર્જના કરશે, ઔરંગાબાદમાં જનસભાને સંબોધશે
આ પણ વાંચો:આજે PM મોદી MK સ્ટાલિનના ગઢમાં જનસભા સબોધશે, તમિલનાડુના વેલ્લોરમાં રેલી કરશે; મજબૂત સુરક્ષા વ્યવસ્થા
આ પણ વાંચો:‘જેલના પોતાના નિયમો છે…’, સંજય સિંહ અને ભગવંત માનને તિહારમાં કેજરીવાલને મળવા દેવાયા નહોતા