કેન્દ્રીય ગૃહ પ્રધાન અમિત શાહ આજે લોકસભામાં નાગરિકત્વ (સુધારા) બિલ રજૂ કરશે. ગૃહમાં બિલ રજૂ થયા બાદ આ અંગે ચર્ચા કરવામાં આવશે. આ માટે ભાજપે એક વ્હિપ જારી કર્યો છે. સરકાર માટે આ બિલને લોકસભામાં પસાર કરવું મુશ્કેલ નથી પરંતુ રાજ્યસભામાં આ ખરડો પસાર થાય તે માટે સરકારે બિન-એનડીએ અને બિન-યુપીએ પક્ષો પર નિર્ભર રહેવું પડશે. આ ખરડામાં પાકિસ્તાન, બાંગ્લાદેશ અને અફઘાનિસ્તાનમાં ધાર્મિક જુલમ ભોગવી રહેલા બિન-મુસ્લિમ શરણાર્થીઓને ભારતીય નાગરિકતા આપવાની જોગવાઈ છે. વિપક્ષ સતત આ બિલનો વિરોધ કરી રહ્યો છે.
જમ્મુ-કાશ્મીરમાંથી કલમ 370 હટાવવા જેમ રાજકીય સંઘર્ષ સોમવારે એટલે કે આજે લોકસભામાં જોવા મળી શકે છે. ગૃહ પ્રધાન અમિત શાહ આજે બપોરે નાગરિકતા સુધારણા બિલ રજૂ કરશે. પાકિસ્તાન, બાંગ્લાદેશ અને અફઘાનિસ્તાનમાં ધાર્મિક અત્યાચારને લીધે 31 ડિસેમ્બર 2014 નાં રોજ ભારત આવેલા હિન્દુ, શીખ, બૌદ્ધ, જૈન, પારસી અને ખ્રિસ્તી સમુદાયોનાં લોકોને શરણાર્થી માનવામાં આવશે નહીં પરંતુ તેમને ભારતીય નાગરિકત્વ આપવામાં આવશે.
કોંગ્રેસ સહિત લગભગ આખો વિપક્ષ તેનો વિરોધ કરવા કટિબદ્ધ છે.વળી ભાજપે પાર્ટીનાં સાંસદોને ત્રણ લાઇન વ્હિપ જારી કર્યો છે, જેમાં મોદી 2.0 સરકાર વચ્ચેની લડતનાં સ્પષ્ટ સંકેત આપવામાં આવ્યા છે. સોમવારે લોકસભામાં યોજાનારી કામગીરીની સૂચિ મુજબ ગૃહમંત્રી બપોરે બિલ રજૂ કરશે. આ પછી તેની ચર્ચા કરવામાં આવશે.
નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાવ મંતવ્ય ન્યૂઝ સાથે…
તમે અમને ફેસબુક, ટ્વીટર, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.
લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ આપના ફોન પર સૌથી ઝડપી મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો “મંતવ્ય ન્યૂઝ” ની નવી મોબાઇલ એપ્લિકેશન.