ભાજપના પૂર્વ પ્રવક્તા નૂપુર શર્મા દ્વારા પયગંબર મોહમ્મદ પર વાંધાજનક ટિપ્પણીના મામલે કોલકાતામાં થયેલા વિરોધને લઈને સીએમ મમતા બેનર્જીએ કહ્યું છે કે બંગાળમાં કંઈ થયું નથી. જો તમારે વિરોધ કરવો હોય તો જ્યાં ભાજપની સરકાર હોય ત્યાં કરો અથવા દિલ્હીમાં જઇને વિરોધ કરો.
બેનર્જીએ રાજ્ય સચિવાલયમાં કહ્યું, “કેટલીક જગ્યાએ સવારથી જ રસ્તાઓ બ્લોક થઈ રહ્યા છે અને લોકો પરેશાન થઈ રહ્યા છે. હું સામાન્ય લોકો વતી તમને (વિરોધીઓને) વિનંતી કરું છું કે પશ્ચિમ બંગાળમાં કંઈ થયું નથી, તેથી અહીં વિરોધ સમાપ્ત કરો અને નવી દિલ્હી જાઓ અને ત્યાં વિરોધ કરો.
ગુજરાત અને ઉત્તર પ્રદેશમાં જાવ જ્યાં ભાજપની સરકાર છે. મમતા વધુમાં કહે છે કે જો બંગાળમાં કોઈએ આવું કર્યું હોત તો અમે તરત જ તેની ધરપકડ કરી લેતા. જો કોઈ વિરોધ કરવા માંગે છે, તો પોલીસ સ્ટેશનોમાં એફઆઈઆર નોંધાવો અને ગુનેગારોની ધરપકડની માંગ સાથે પોલીસને ડેપ્યુટેશન સોંપો. અમે પણ કાયદા મુજબ કામ કરીશું