@સચીન પીઠવા, મંતવ્ય ન્યૂઝ – સુરેન્દ્રનગર
લખતર તાલુકાનાં કડુ ગામે પસાર થતી વલ્લભીપુર બ્રાન્ચમાંથી નીકળતી D-2 માંથી નીકળતી કળમ માઇનોર કેનાલ-1 ની કેનાલની અંદર બિનકાયદેસર કેનાલ તોડીને ખેડૂતો દ્વારા નાખેલા પાઇપો તેમજ ભૂંગળા નાખવામાં આવતા આગળનાં ખેડૂતોને પૂરતું પાણી નહીં મળતા કડુ, કળમ,ઓળક, સહિત ગામનાં ખેડૂતો દ્વારા નર્મદા વિભાગનાં અધિકારીને રજુઆત કરવામાં આવી.
જે રજુઆત ધ્યાનમાં લઈને નર્મદા વિભાગનાં અધિકારઓ રાકેશ સહાય નર્મદા એંજીન્યર, કે રાજકુમાર એજન્સી સુપરવાઈઝર સહિત તેમજ SRP ની ટીમને સાથે રાખીને બિનકાયદેસર નાખેલા પાઇપો તેમજ ભૂંગળા કાઢી નાખવામાં આવ્યા હતા. ખેડૂતોને પડતી મુશ્કેલીઓ દૂર કરવામાં આવી હતી.
Gujarat: અમદાવાદમાં કરોડનાં ડ્રગ્સ સાથે શખ્સની ધરપકડ
Politics: કોરોનાની રસી આવી તેની સાથે હવનમાં હાડકાં નાખનારા આવી ગયા : નીતિન પટેલ
Ahmedabad: ગેસના સિલિન્ડરમાંથી ગેસની ચોરીનું કૌભાંડ ઝડપાયું, શહેરકોટડા પોલીસે બે શખ્સોની કરી ધરપકડ
મંતવ્ય ન્યૂઝ દ્વારા જાહેર અપીલ –
દેશ – દુનિયા સહિત ગુજરાતમાં પણ કોરોનાએ જ્યારે ફરી માંથુ ઉચક્યુ છે, ત્યારે અમે મંતવ્ય ન્યૂઝ તમામ નાગરીકોને અપીલ કરીએ છીએ કે, આ સમયે કોરોનાથી ડરવાની નહીં, પરંતુ સંયમ સાથે વર્તવાની જરુર છે. બને તેટલો જાહેર સંપર્ક ટાળો, કોરોના માર્ગદર્શીકા અને સરકારનાં સૂચનોનું ચુસ્તપણે પાલન કરો અને સ્વજનોને પણ કરાવો. આ કાળમાં તકેદારીએ જ સ્વસ્થ્ય હોય સંયમ સાથે નિયમોનું પાલન કરી એક જાગૃત નાગરીકની ફરજ બજાવો…