રાજકોટમાં કોરોનાને પગલે અનેક લોકોના ધંધા અને રોજગારને અસર થઇ છે. નાના લોકોને રોજગારી આપતા અને રાજકોટની આગવી ઓળખ ધરાવતા ઇમીટેશનના વ્યવસાયને પણ કોરોનાનું ગ્રહણ લાગ્યું છે. જેને પગલે 2 લાખથી વધુ લોકોની રોજગારી છીનવાઈ ગઈ છે.
- માર્કેટમાં 1 હજારથી વધુ મોટો વેપારીઓ
- 10 હજારથી વધુ કામદારો
રાજકોટની આગવી ઓળખ છે યુકે તરીકે ઓળખાતા સામાકાંઠાનું ઇમીટેશનનું માર્કેટ છે. ત્યારે આ માર્કેટમાં 1 હજારથી વધુ મોટા વેપારીઓ અને 10 હજારથી વધુ નાના કામદારો પોતાની પોતાની રોજી રોટી મેળવે છે. રાજકોટમાં 1 લાખથી વઘુ મહિલા ઇમીટેશનનું કામ કરી પોતોનું જીવન ચલાવે છે. પરતું આ કોરોના મહામારીમાં લોકોડાઉનના કારણે તમામની રોજગારી છીનવાઈ ગઈ છે. માહામારીઓ ગરીબ અને મધ્યમવર્ગને રોજીરોટી આપતા વ્યવસાય પર પણ ગ્રહણ લાગ્યું છે.
કોરોના મહામારીના કારણે વેપારીઓનો 9 મહિનાથી વધુ ધંધા રોજગાર બંધ રાખ્યા હતા. ત્યારે નવા વર્ષમાં નવી આશા સાથે ધંધા રોજગારી શરૂ કર્યા હતા જ ત્યાર ફરી એકવાર કોરોનાએ માંથુ ઉચકતા વેપારીઓ પડી ભાગ્યાં છે. રાત્રી કર્ફ્યુના કારણે રાજ્યોમાંથી આવતા વેપારીઓ રાજકોટ આવતા બંધ થઈ ગયા છે. જેમે પગલે નવા ઓર્ડર ન મળતા નથી. તેમજ ઇમિટેશન જવેલરીમાં ઉપયોગમાં લેવાતી મેટલ પણ ત્રણ ગણી મોંઘી થઇ છે. રો-મટીરીયલ પણ કૃત્રિમ અછત સર્જી રહ્યું છે જેને પગલે વર્ષે 300 કરોડ થી વધુનું ટર્ન ઓવર હાલ 10 ટકા સુધીનું થઈ ગયું છે. આ સ્થિતિમાં વેપારીઓનો ધંધા રોજગાર બંધ કરવાની પરિસ્થિત પર આવી ગયા છે.
દર રોજ 1 લાખથી વધુ મહિલાઓને અને 10 હજારથી વધુ નાના કામદારોને સીધી રોજગારી આપતો આ ઉદ્યોગ હવે કોરોનાના ડંખને પગલે મરણપથારીએ છે. તો વેપારીઓ પણ મુશ્કેલીમાં છે ઉપરથી વધતા કોરોના ના કેસ અને કર્ફ્યુના સમયમાં સતત વધારો આ પરિસ્થિતિમાં એક સમયે પોતાની ચમકના જોરે દેશ અને દુનિયામાં નામના ધરાવતા આ ઉદ્યોગ હવે અસ્તિત્વની લડાઈ લડી રહ્યો છે.