ગુજરાત રાજ્યમાં સતત કોરોના વાઈરસનું સંક્રમણ વધી રહ્યું છે. ત્યારે રાજ્યમાં સતત કોરોના કેસ ના દૈનિક નોંધાતા આંકમાં મસમોટો વધારો જોવા મળી રહ્યો છે. ત્યારે રાજ્ય સરકાર દ્વારા સરકારના કેટલાક કર્મચારીઓના આરોગ્યને લક્ષમાં રાખીને મહત્વનો નિર્ણય લેવામાં આવ્યો છે.
ગુજરાત સરકારના દિવ્યાંગ સરકારી કર્મચારીઓને work from home આપવાનું નક્કી કર્યું છે. જ્યારે ગુજરાત સરકારમાં કાર્યરત સગર્ભા મહિલાઓને પણ આગામી 30 4 2021 સુધી વર્ક ફ્રોમ હોમ આપવાનો નિર્ણય ગુજરાત સરકાર દ્વારા લેવામાં આવ્યો છે.
રાજ્ય દૈનિક નોંધાતા કોરોના કેસ હાલ પોતાના જ રેકોર્ડ તોડી રહ્યો છે. રાજ્યમાં દૈનિક નોંધાતો આંક ૧૦૦૦૦ પ્લસ આવી રહ્યો છે જ્યારે રાજ્યમાં કુણ કોરોના સંક્રમિત લોકોની સંખ્યા ચાર લાખની ઉપર પહોંચી ચૂકી છે તો સામે કોરોના થી થતાં મોતનો આંકડો પણ હાહાકાર મચાવે તેઓ છે.