Ahmedabad News: એક મહિલાએ તેના પુત્રની મદદથી તેના 38 વર્ષીય બોયફ્રેન્ડને 22 મેના રોજ ઘુમા ગામમાં એક નિર્જન સ્થળે કથિત રૂપે ઢોર માર મારી તેની હત્યા (Murder) કરી હતી અને તેની લાશને સળગાવી દીધી હતી. પીડિતના નાના ભાઈએ ગુરુવારે બોપલ પોલીસમાં ફરિયાદ દાખલ કરવામાં આવી હતી.
ચાલીસ વર્ષના લક્ષ્મીબા અને તેમના 22 વર્ષના પુત્ર અર્જુનસિંહ વાઘેલાએ બનાસ ડેરીના ડ્રાઈવર પ્રભુરામ ઠાકોરની હત્યા કરી હતી. બનાસકાંઠાના ભાભરના ખેડૂત તેમના નાના ભાઈ વિનોદ ઠાકોરે તેમની એફઆઈઆરમાં જણાવ્યું હતું કે પ્રભુરામ 21 મેના રોજ સવારે 9 વાગ્યે કામ પર ગયા બાદ ઘરે પરત ફર્યા ન હતા.
23 મેના રોજ સવારે વિનોદને પ્રભુરામની ઓફિસેથી ફોન આવ્યો કે તેણે બે દિવસથી કામ માટે જાણ કરી નથી. પરિવારે પ્રભુરામનો સંપર્ક કરવાનો પ્રયાસ કર્યો, પરંતુ તેનો ફોન બંધ હતો. વિનોદ અને તેના પરિવારના સભ્યોએ 24 મેના રોજ સાંજે સાડા ચાર વાગ્યે ભાભર પોલીસનો સંપર્ક કર્યો અને ગુમ થયાની ફરિયાદ નોંધાવી.
ભાભર પોલીસને જાણવા મળ્યું હતું કે પ્રભુરામ લક્ષ્મીબાના સતત સંપર્કમાં હતા. બુધવારે પૂછપરછ માટે બોલાવવામાં આવેલા લક્ષ્મીબાએ પોલીસને કહ્યું કે અર્જુનસિંહ તેમના સંબંધોથી ખુશ નથી અને જો તે તેની સાથે સંપર્ક ચાલુ રાખશે તો લક્ષ્મીબાને મારી નાખ્યા પછી આત્મહત્યા કરવાની ધમકી આપી હતી.
પ્રભુરામ સાથેના સંબંધો તોડવાને બદલે માતા-પુત્રની જોડીએ તેને ખતમ કરવાનું નક્કી કર્યું. લક્ષ્મીબા અને પ્રભુરામ તેના પુત્રને મળવા માટે 21 મેના રોજ સવારે રાજ્ય પરિવહનની બસમાં બોપલ જવા નીકળ્યા હતા.
તે રાત્રે પ્રભુરામ અને લક્ષ્મી અર્જુનસિંહના ઘરે રોકાયા હતા. કાવતરું ઘડતા અર્જુનસિંહ પ્રભુરામને કુદરતની હાજતના બહાને એકાંત સ્થળે લઈ ગયો. લક્ષ્મીબાએ ચાકુ વડે પ્રહાર કર્યા હતા, બંનેએ કથિત રીતે પ્રભુરામની હત્યા કરી અને તેના મૃતદેહને એકાંત જગ્યાએ સળગાવી દીધી. ભાભર પોલીસ સમક્ષ કબૂલાત કર્યા બાદ બોપલ પોલીસે લક્ષ્મીબા અને અર્જુનસિંહ સામે હત્યા, પુરાવાનો નાશ અને ગુનાહિત કાવતરું રચવાની ફરિયાદ નોંધી હતી.