- નવસારીના ગણદેવીમાં માનવતાને શર્મસાર કરતી ઘટના
- ગણદેવીના જુના સિનેમા રોડ પાસે નવજાત બાળકીને તરછોડાઈ
- બાપા સીતારામની મઢુલીની પાછળ નવજાતને તરછોડાયું
Navsari News: ફરી એકવાર એક માની મમતાને લાંછન લગાવતો કિસ્સો સામે આવ્યો છે. ગણદેવીમાં એક નવજાતને બાપાસીતારામ ની મઢુલીની પાછળ તરછોડી દેવાતા સ્વાવાને તેને ફાડી ખાતા બાળકીનું કરુણ મોત નીપજ્યું હતું. ગણદેવી પોલીસે તપાસ હાથ ધરી છે.
મળતી માહિતી અનુસાર, નવસારીમાં માનવતાને શર્મસાર કરતી ઘટના સામે આવી છે. અહીં ગણદેવીના જુના સિનેમા રોડ પાસે બાપા સીતારામની મઢુલીની પાછળ નવજાતને તરછોડવામાં અવાયું હતું. બાળકીને મૂકી ભાગી જતા રખડતા શ્વાનએ માસૂમને ફાડી ખાધી હતી. આ ઘટનાની જાણ થતા સ્થાનિકોએ ગણદેવી પોલીસનો સંપર્ક કર્યો હતો. જે બાદ એક દિવસની નવજાત બાળકી હોવાનું સામે આવ્યું છે. મૃતદેહનો કબજો લઈ પોસ્ટમોર્ટમ અર્થે ખસેડવામાં આવ્યો હતો. પોલીસે ફરિયાદ નોંધી વાલીવારસને શોધવાની તજવીજ હાથ ધરી છે.
આ પણ વાંચો:મેચના દર્શકોએ 1000 કિલો પ્લાસ્ટિક કચરો કાઢ્યો,કોર્પોરેશને દસ બાંકડા બનાવ્યા
આ પણ વાંચો:ગુજરાતમાં ફરી ઘાતક કોરોનાની રિએન્ટ્રી..! જાણો ક્યાં નોંધાયા
આ પણ વાંચો:વડોદરામાં નકલી રોયલ્ટી પાસનો થયો પર્દાપાશ, સરકારી તિજોરીને 3 લાખ ઉપરાંતનું નુકશાન
આ પણ વાંચો:સીએમ ભુપેન્દ્ર પટેલે છઠ્ઠી સ્માર્ટ હેકાથોનને પ્રારંભ કરાવ્યો
