ચોમાસામાં વાતાવરણ જેટલું સુખદ હોય છે, તેટલું જ બીમાર થવાનું જોખમ પણ વધારે છે. વરસાદની ઋતુમાં આપણું શરીર એલર્જી, ચેપ અને પાચન સંબંધિત અનેક સમસ્યાઓમાંથી પસાર થાય છે.
આ બધાથી બચવા માટે, આપણા શરીરને કેટલાક વિશેષ પોષક તત્વોની જરૂર હોય છે. આ બધા પોષક તત્વો ફક્ત અમુક પ્રકારના સીઝનલ ફ્રુટસમાં જ જોવા મળે છે. આજે તમને જણાવીશું કે, ચોમાસાની ઋતુમાં ક્યાં ફળોનું સેવન કરવું જોઈએ.
જાંબુ
જાંબુ જે વરસાદની ઋતુમાં આવે છે, તે ખાંડના સ્તરને નિયંત્રણમાં રાખવામાં અસરકારક છે. જામુનમાં કેલરી ઓછી હોય છે અને તેમાં આયર્ન, ફોલેટ, પોટેશીયમ અને વિટામિન ભરપૂર હોય છે. ચોમાસા દરમિયાન તેનું સેવન કરવાથી શરીરમાં મોટો ફાયદો થાય છે.
પ્લમ
પ્લમ શરીરમાં આયર્ન સપ્લાય કરે છે. તેમાં વિટામિન-સીની માત્રા પણ વધુ હોય છે, જે હિમોગ્લોબિનના સ્તરને વધારીને એનિમિયા સામે રક્ષણ આપવાનું કામ કરે છે. તેમાં નેચરલ ચીન સોર્બીટોલ અને પ્લાન્ટ ફાઇબર પણ હોય છે. તેના વાદળી અને લાલ રંગમાં એન્થોકાયનિન હોય છે; જે આપણને કેન્સરથી બચાવે છે
ચેરીઝ
ચેરીમાં એન્ટીઓકિસડન્ટ તરીકે મેલાટોનિન હોય છે, જે આપણી કોષ પ્રણાલીને ફ્રી રેડિકલ્સના કારણે થતા નુકસાનથી સુરક્ષિત કરે છે. ચેરી હૃદયરોગથી બચવા માટે ખૂબ ફાયદાકારક હોવાનું પણ કહેવામાં આવે છે. તે શરીરમાં કોલેસ્ટરોલનું સ્તર ઘટાડે છે અને તે કેન્સર વિરોધી ગુણધર્મો ધરાવે છે.
લીચી
લીચી ચોમાસા દરમિયાન ખાવામાં આવતું સ્વાદિષ્ટ ફળ છે. તેમાં વિટામિન-સી, વિટામિન-બી, પોટેશિયમ અને એન્ટીઓકિસડન્ટો સાથે ફાઇબર પણ હોય છે. લીચી આપણા શરીરમાં એન્ટી બોડી અને રોગપ્રતિકારક શક્તિને મજબૂત બનાવવામાં મદદ કરે છે. તેમાં એવા ગુણધર્મો છે જે શરીરને શરદી અને ફ્લૂથી સુરક્ષિત કરે છે.
દાડમ
દાડમ શરીરને શરદી, ફ્લૂ વગેરે ઘણાં ચેપથી બચાવે છે. તેમાં હાજર એન્ટીઓકિસડન્ટો ચોમાસામાં શરીરને ચેપથી બચાવવા માટે કામ કરે છે. સંશોધનોએ દર્શાવ્યું છે કે, દાડમ પાચક અને કોલોન કેન્સર કોષોની બળતરા ઘટાડે છે. દાડમનો અર્ક કેન્સરના કોષને ફેલાવવાથી રોકે છે.