Not Set/ સુરતમાં 9 માસની બાળકીને કોરોના પોઝિટીવ, આરોગ્ય તંત્ર થયું દોડતું

સુરતના પાંડેસરા હાઉસિંગ સોસાયટીમાં એક પરિવારની 9 માસની બાળકીને છેલ્લા ત્રણ દિવસથી ઝાડા-ઊલટી અને તાવ આવતો હતો…

Gujarat Surat
a 509 સુરતમાં 9 માસની બાળકીને કોરોના પોઝિટીવ, આરોગ્ય તંત્ર થયું દોડતું

ગુજરાતમાં હાલમાં કોરોનાની બીજી લહેરમાં કેસની સંખ્યા ઘટી રહી છે. જોકે ક્યાંકને ક્યાંક તબીબો દ્વારા ત્રીજી લહેર આવવાની પૂરેપૂરી શક્યતા પણ વ્યક્ત કરવામાં આવી છે. ત્યારે આવામાં સુરતમાં 9 માસની બાળકીને કોરોના પોઝિટીવ આવતા ચકચાર પછી ગઈં છે.

આ પણ વાંચો :ઇન્ડિયા સાયકલ ફોર ચેન્જ’ ચેલેન્જ : દેશના ૧૧૩ શહેરોમાંથી ટોપ-૧૧ શહેરોમાં રાજકોટની પસંદગી : રૂ.૧ કરોડ પુરસ્કાર

આપને જણાવી દઈએ કે, સુરતના પાંડેસરા હાઉસિંગ સોસાયટીમાં એક પરિવારની 9 માસની બાળકીને છેલ્લા ત્રણ દિવસથી ઝાડા-ઊલટી અને તાવ આવતો હતો. જેને કારણે તેના માતા-પિતા આ બાળકીને લઈને નવી સિવિલ હોસ્પિટલમાં લઇ આવ્યા હતા. તબીબ દ્વારા આ બાળકીનો રેપિડ ટેસ્ટ કરવામાં આવ્યો હતો. રેપિડ ટેસ્ટ પોઝિટિવ આવતાં જ આરોગ્ય તંત્ર દોડતું થયું હતું.

હાલ બાળકીને હાલ હોમ આઈસોલેશનમાં રાખવામાં આવી છે. જોકે બીજી તરફ આરોગ્ય વિભાગ દ્વારા આસપાસના તમામ લોકોના રેપિડ ટેસ્ટ કરવાની કામગીરી શરૂ કરી દેવામાં આવી હતી. આ સાથોસાથ જે રીતે નવ માસની બાળકીમાં કેસ સામે આવતા આરોગ્ય તંત્ર ચિંતાનું મોજુ જોવા મળી રહ્યું છે.

આ પણ વાંચો :  જૂનાગઢમાં મોતની છલાંગનો વિડીયો વાયરલ, જુઓ

રાજ્યમાં છેલ્લા 24 કલાકમાં કોરોનાના નવા 28 કેસ નોંધાયા છે. દરમિયાન 24 કલાકમાં 39 દર્દીએ કોરોનાને મ્હાત આપી છે. જેને પગલે રાજ્યનો રિક્વરી રેટ સુધરીને 98.75 ટકા થયો છે.  રાજ્યમાં કુલ  દર્દીઓને કોરોનાને મ્હાત આપી છે.

અત્યાર સુધી 274 કુલ દર્દીઓ સારવાર લઇ રહ્યા છે. જે પૈકી 05 લોકો વેન્ટિલેટર પર છે. જ્યારે 269 દર્દીઓ સ્ટેબલ છે. અત્યાર સુધીમાં 8,14,452 લોકોને ડીસ્ચાર્જ કરવામાં આવી ચુક્યાં છે. અત્યાર સુધીમાં કુલ 10076 લોકોનાં મોત થઇ ચુક્યા છે. જો કે કોરોનાને કારણે આજે એક પણ દર્દીનું મોત થયું નથી. જે ગુજરાત માટે રાહતના સમાચાર છે.

આ પણ વાંચો :મહેસાણામાં ચાર્જિંગમાં ભરાવીને ફોન પર વાત કરતાં કિશોરીનું મોત