ખૂની ખેલ/ સુરતમાં ફરી એકતરફી પ્રેમ કરૂણ અંજામ, પ્રેમમાં પાગલ યુવકે મહિલાના પતિની કરી હત્યા

સુરતનાં પલસાણા જિલ્લા ખાતે ઇકો ટેક્સટાઇલ પાર્કમાં આવેલી રતન પ્રિયા મિલમાં કામ કરતો યુવાન કાપડનાં તાકા નીચે સડી ગેયલી લાશ મળી આવી.

Gujarat Surat
એકતરફી પ્રેમ

સુરત શહેર જાણે કે ગુનાખોરીની રાજધાની બની ગયું હોય તેમ હજુ તો ગ્રીષ્મા વેકરીયા મર્ડર કેસનાં પડઘા શાંત નથી થયા ત્યાં એક તરફી પ્રેમ માં પાગલ યુવાનનો બીજો એક કિસ્સો સુરતમાં સામે આવ્યો છે. પલસાણા ખાતે આવેલ રતનપ્રિયા મિલમાંથી ગુરુવારના રોજ કાપડના તાકા નીચેથી એક યુવકની દુર્ગંધ મારતી લાશ મળી આવી હતી. આ ઘટના અંગે પોલીસે સીસીટીવી ચેક કરતાં તેની સાથે કામ કરતાં શખ્સે જ તેના પર કાપડના તાકા નાખી હત્યા કરી હોવાનું સામે આવ્યું હતું. પોલીસ તપાસમાં આરોપી મૃતકની પત્ની સાથે એક તરફી પ્રેમ માં હોવાનો ખુલાસો થયો હતો.

આ અંગે મળતી માહિતી અનુસાર, પલસાણા તાલુકાના ઈટાળવા ગામે કાઠિયાવાડી હોટલની પાછળ આવેલા બિલ્ડિંગમાં આકાશબાબુ રામબહાદુર કોરી (ઉં.વ.21 મૂળ રહે. મધ્યપ્રદેશ) પત્ની સાથે રહેતો હતો. તે ઇકો ટેક્સટાઇલ પાર્કમાં રતન પ્રિયા મિલમાં કામ કરતો હતો. આકાશબાબુ સાથે લક્ષ્મણ ગિરજાશંકર પણ કામ કરતો હતો. લક્ષ્મણને આકાશબાબુની પત્ની ગમતી હોવાથી એકતરફી પ્રેમ કરતો હતો. લક્ષ્મણે અગાઉ આકાશબાબુની પત્નીને છેડતી કરતા તેને ઠપકો આપ્યો હતો. જેનો ખાર રાખીને આ કૃત્ય કર્યું હતું.

14મી ફેબ્રુઆરીના રોજ આકાશ બાબુ અને લક્ષ્મણ મિલમાં કામ કરી રહ્યા હતા, ત્યારે આકાશ કાપડના તાકા નજીક ઊંઘી ગયો હતો. દરમિયાન મોકો જોઈને લક્ષ્મણે કાપડના તાકા આકાશબાબુ ઉપર નાખી દીધા હતા. જેથી આકાશબાબુનું ગૂંગળાય જવાથી મોત થયું હતું. દરમિયાન ગુરૂવાર સવારે કાપડના તાકામાંથી દુર્ગંધ આવતા કાપડના તાકા ખસેડતા આકાશબાબુની સડી ગયેલી લાશ મળી આવી હતી. જે બાદ પોલીસે પ્રથમ અકસ્માત મોતનો ગુનો નોંધી કાર્યવાહી કરી હતી.

પોલીસે પ્રથમ અકસ્માત મોતનો ગુનો નોંધી કાર્યવાહી કરી હતી. દરમિયાન મીલમાં લગાવવામાં આવેલા સીસીટીવી કેમેરાના ફૂટેજ ચેક કરતાં આકાશબાબુ ઊંઘતો હતો ત્યારે તેના ઉપર લક્ષ્મણ કાપડના તાકા નાંખતો નજરે પડતાં પોલીસે લક્ષ્મણને પકડી લીધો હતો. પોલીસે લક્ષ્મણની પ્રાથમિક પૂછપરછ કરતાં આકાશબાબુની પત્નીને એક તરફી પ્રેમ કરતો હતો અને તેને એક વખત પકડવા જતાં આકાશબાબુ અને તેના વતનના અન્ય લોકોએ ઠપકો આપતાં મનમાં અદાવત રાખી હત્યા કરી હોવાની કબુલાત કરી છે. પોલીસે અકસ્માત બાદ હત્યાનો ગુનો નોંધવાની કાર્યવાહી હાથ ધરી છે.

આ પણ વાંચો:શ્રી ગોવર્ધનનાથજી હવેલીની જગ્યાને સ્વામીનારાયણ મંદિરને આપતા વૈષ્ણવોમાં નારાજગી

આ પણ વાંચો:વડોદરાના એક જ પોલીસ સ્ટેશનના તમામ 87 પોલીસકર્મીઓની બદલી,જાણો વિગત

આ પણ વાંચો: સરકારી સહાય મેળવવાની સાથે રોકડિયા પાક નું વાવેતર કરી આવક મેળવતા ખેડૂતો

આ પણ વાંચો: ફાંસીની સજા પામેલા દોષિતોએ કહ્યું ‘અમારા માટે કુરાન જ બંધારણ છે,અમે આ સજા સ્વીકારતા નથી’

આ પણ વાંચો:જો કોઈને કહીશ તો તારી બહેન સાથે લગ્ન તોડી નાંખીશ તેમ કહીં બનેવીએ સાળીને હવસનો શિકાર બનાવી