મરાઠા રિઝર્વેશન કેસમાં થઈ રહેલી કચાસના કારણે સોમવાર પર પ્રદર્શન દરમિયાન એક શખ્સ નદીમાં ડૂબી આત્મહત્યાના મુદ્દાને લઈને વિરોધમાં મહારાષ્ટ્ર બંધ હિંસક બન્યું છે. ઔરંગાબાદમાં પ્રદર્શક હિંસક થઈ ગયા અને તેમણે ટ્રકોમાં આગ ચાંપી દીધી હતી. આ ઘટના દરમિયાન મંગળવારે બે વધુ યુવાનોએ નદીમાં ડૂબી અનેપોતાનું જીવન ટૂંકાવવાનો પ્રયાસ કાર્ય હતો. જ્યારે વાત કરવામાં આવે તો તેમને મુંડન કરી અને પોતાનું વિરોધ પ્રદર્શન કર્યું હતું.
બંધની સૌથી વધુ અસર મરાઠવાડા વિસ્તારમાં દેખાય છે અહીં શાળા અને કોલેજ બંધ છે ઇન્ટરનેટ સેવામાં અટકાવાયેલ અને પ્રદર્શનકર્તાઓને રોકવામાં આવે છે. આપને જણાવી દઈએ કે આંદોલનના ઉગ્ર થાવાના કારણે ઉસ્માનાબાદ શહેરમાં સુરક્ષા બંધોબસ્ત વધારી દેવામાં આવ્યો છે.
ઐરંગાબાદ-પુણે માર્ગ બંધ:-
ઐરંગાબાદ-પુણે માર્ગ પણ બંધ છે, અહીં મરાઠા ક્રાન્તિ મોરચે સંકલન સમિતિના સભ્યો વિરોધ-પ્રદર્શન કરે છે. ઔરંગાબાદમાં સરકારી બસોની સેવા મંગળવારે બંધ છે. મરાઠા આરક્ષણ બિલ માટે ચલાવવામાં આવતું પ્રદર્શનના ચાલતા મહારાષ્ટ્રના નવનિર્માણ સેના (એમએનએસ) ના અધ્યક્ષ રાજ ઠાકરેને મરાઠવાડા જિલ્લાના પ્રવાસને ટૂંકો કર્યો હતો.
મૃતકના કુટુંબને વળતર આપવાનું વચન:-
મરાઠા આરક્ષણની માંગને લઈને સોમવારે ઔરંગાબાદ જિલ્લાના સિલ્લોડ તાલુકામાં સ્થિત કાયગાંવ ટોકમાં એક 28 વર્ષના યુવાક કાકા સાહેબ દત્તાત્રય શંદેએ ગોદાવરી નદીમાં છલાંગ લગાવી દીધી હતી. તેના મરણ પછીથી મરાઠા ચળવળના સ્થાને વધુ આક્રમક બન્યું હતી. મૃતકના કુંટુંબને વળતર અને ભાઈને નોકરી આપવાનું વચન પ્રશાસન દ્વારા કરવામાં આવ્યું છે.
મીડિયા રિપોર્ટ્સ મુજબ, ઔરંગાબાદ અને ઉસ્માનાબાદ સિવાય રાજ્યના બીજા ભાગોમાં મહારાષ્ટ્ર બંધની કોઈ ખાસ અસર દેખાય નહોતી. તેના કારણ એ છે કે મહારાષ્ટ્ર ક્રાન્તિ મોરચાના ‘મહારાષ્ટ્ર બંધ’ માં મુંબઈ-પુણે, સતારા, સોલાપુર સામેલ નથી.