દુનિયામાં કોરોનાનાં કેસમાં સતત વધારો થઇ રહ્યો છે. તેમા હવે ભારત પણ પાછળ રહ્યુ નથી. દૈનિક દોઢ લાખથી વધુ કેસ ભારતમાં રોજ આવી રહ્યા છે. ત્યારે આજે એટલે કે રવિવારે કોરોનાનો આંક અઢી લાખને વટાવી ગયો હતો. ત્યારે હવે તાજેતરમા ગુજરાતનો છેલ્લા 24 કલાકનો આંક સામે આવ્યો છે, જેણે સૌ કોઇને ચોકાવી દીધા છે.
આ પણ વાંચો – દિલ્હી / સંસદનું બજેટ સત્ર 31 જાન્યુઆરીથી શરૂ થશે,નાણા મંત્રી નિર્મલાસીતારમણ 1 ફેબ્રુઆરીએ સામાન્ય બજેટ રજૂ કરશે
આપને જણાવી દઇએ કે, રાજ્યમાં છેલ્લા 24 કલાકમાં કોરોનાનાં 17119 નવા કેસ નોંધાયા છે. જેમા સૌથી વધુ કેસ અમદાવાદ 5998માં નોંધાયા છે. વળી સુરતમા પણ આ કેસમા કોઇ ઘચાડો જોવા મળ્યો નથી. સુરતમા છેલ્લા 24 કલાક માં3563 નોધાયા છે. ઉપરાંત વડોદરામાંં કોરોનાનાં 1539 કેસ, રાજકોટમાં1336 ,વલસાડમાં 310કેસ, ગાંધીનગરમાં 409કેસ, ભરૂચમાં 206કેસ, સુરત ગ્રામ્યમાં 423,કેસ, ભાવનગરમાં 399કેસનોંધાયા છે,જામનગરમાં 252,, કચ્છમાં કેસ 175 નોંધાયા છે
આપને જણાવી દઇએ કે, રાજ્યમાં છેલ્લા 24 કલાકમાં દર્દીઓને હોસ્પિટલમાંથી 7883 ડિસ્ચાર્જ કરવામાં આવ્યા છે. રાજ્યમાં કુલ એક્ટિવ 79600કેસની સંખ્યા છે. જ્યારે આ સમયગાળામાં કોરોનાથી10 દર્દીઓનાં મોત થયા છે. રાજ્યમાં કુલ કેસનો આંકડો 9,65,375સુધી પહોંચી ગયો છે. રાજ્યમાં કોરોનાને હરાવી ઠીક થયેલા દર્દીઓની સંખ્યા 8,66,338પહોંચી ગઇ છે.
રાજ્યમાં 24 કલાકમાં કોરોનાના 17119 કેસ
અમદાવાદમાં સૌથી વધુ 5998 કેસ
સુરત શહેરમાં 3563, વડોદરામાં 1539 કેસ
રાજકોટમાં 1336, વલસાડમાં 310 કેસ
ગાંધીનગરમાં 409, ભરૂચમાં 206 કેસ
સુરતમાં 423, ભાવનગરમાં 399 કેસ
જામનગરમાં 252, કચ્છમાં 175 કેસ
છેલ્લા 24 કલાકમાં 7883 લોકો ડિસ્ચાર્જ
રાજ્યમાં કુલ એક્ટિવ કેસોની સંખ્યા 79600
રાજ્યમાં કુલ કેસનો આંકડો પહોંચ્યો 9,65,375
રાજ્યમાં સાજા થયેલા કુલ દર્દીઓની સંખ્યા 8,66,338