Murder/ મામી સાથે પ્રેમ હોવાથી મામાએ જ દારૂ પીવડાવીને ભાણેજને ઉતાર્યો મોતને ઘાટ

મામી ભાણેજના સંબંધોને લજવે તેવી એક ઘટના સામે આવી છે, જેતપુર તાલુકાના અને વીરપુર નજીકના કેરાળી ગામની સીમમાં 20 દિવસ પૂર્વે એક કૂવામાંથી મળેલી લાશનો ભેદ હવે ઉકેલાયો છે.

Rajkot Gujarat
a 240 મામી સાથે પ્રેમ હોવાથી મામાએ જ દારૂ પીવડાવીને ભાણેજને ઉતાર્યો મોતને ઘાટ

મામી ભાણેજના સંબંધોને લજવે તેવી એક ઘટના સામે આવી છે, જેતપુર તાલુકાના અને વીરપુર નજીકના કેરાળી ગામની સીમમાં 20 દિવસ પૂર્વે એક કૂવામાંથી મળેલી લાશનો ભેદ હવે ઉકેલાયો છે. જેમાં પ્રેમ પ્રકરણમાં યુવકની હત્યા કરી દેવમાં આવી હોવાનું સામે આવ્યું છે. પોલીસે તપાસમાં મૃતક નિલેશ વસાવાને કૌટુંબિક મામી સાથેના પ્રેમ પ્રકરણમાં મામા વિનુભાઈ વસાવાએ જ ચિક્કાર દારૂ પીવડાવી કૂવામાં ફેંકી દઈ હત્યા કરી નાખી હતી. વીરપુર પોલીસના સૂત્રોએ જણાવ્યું કે આ બનાવમાં નીલેશ રણછોડભાઈ વસાવા(25)ની હત્યા થઈ હતી. જેના આરોપી વિનુ દીપસિંગ વસાવાને પોલીસે પકડી લીધો છે.

untitled 1608101544 મામી સાથે પ્રેમ હોવાથી મામાએ જ દારૂ પીવડાવીને ભાણેજને ઉતાર્યો મોતને ઘાટ

મળતી માહિતી અનુસાર,મૂળ ભરૂચ જિલ્લાના વાલિયા તાલુકાના ગુંદિયા ગામનો વતની નીલેશ તેની પત્ની કૈલાસ તેમ જ અન્ય સગાં-સંબંધીઓ સાથે વીરપુરથી ૩૦ કિલોમીટર દૂર આવેલા કેરાળી ગામમાં રહી મજૂરી કામ કરતો હતો. તા.27/11ના રાત્રે તે લાપતા થયો હતો. પરિવારજનો અને પોલીસ દ્વારા શોધખોળ ચાલતી હતી એ દરમ્યાન કેરાળીની સીમમાં રણછોડભાઈ વેલજીભાઈ રામોલિયાની વાડીએ કૂવામાંથી તા.29/11ના સાંજે તેની લાશ મળી આવી હતી. વીરપુર પોલીસે પ્રથમ તો અકસ્માત મોત નોંધીને તપાસ શરૂ કરી હતી.

2 1608101516 મામી સાથે પ્રેમ હોવાથી મામાએ જ દારૂ પીવડાવીને ભાણેજને ઉતાર્યો મોતને ઘાટ

વીરપુર પોલીસે નિલેશના મોબાઈલના કોલ ડિટેઈલ ઉપરથી ઊંડી તપાસ કરતા નિલેશની હત્યા તેના જ બાજુના ખેતરમાં રહીને ખેત મજૂરી કરતા તેના કૌટુંબિક મામા વિનુ દીપસિંહ વસાવાએ કરી હોવાનું સામે આવ્યું હતું.

 કૂવામાંથી નિલેશની લાશ મળી હતી.

પોલીસ તપાસમાં નિલેશને મામી કવિતાબેન સાથે આડા સંબંધ હોવાની જાણ મામા વિનુભાઈને થઈ ગઈ હતી. આથી નિલેશને ચિક્કાર દારૂ પીવડાવી મામા વિનુભાઈએ કૂવાની પાળી પર બેસાડી ધક્કો મારી મોતને ઘાટ ઉતારી દીધો હતો.

સુરત સમગ્ર ગુજરાતમાં પ્રથમ પેપર લેસ પદ્ધતિ પર કાર્ય કરતું મહાનગર પાલિકા

અમેરિકામાં વધુ એક ગુજરાતીની હત્યા, કડીના યુવક પર લૂંટના ઇરાદે કર્યો હુમલો

સુરત : 11 માળની બિલ્ડિંગ પરથી યુવકે લગાવી મોતની છલાંગ, સુસાઇડ પહેલા કર્યું કઇંક આવું કે…

જૂના વાડજમાં ભેખડ ધસી પડતાં મજૂરનું કમકમાટી ભર્યું મોત

કોરોનામાં અંતિમ સંસ્કાર નહીં કરવા દેવાના ભયે પરિવારે દીકરાના આપઘાતની જાણ ન કરતા થયું કંઇક આવું….

મંતવ્ય ન્યૂઝ દ્વારા જાહેર અપીલ –

દેશ – દુનિયા સહિત ગુજરાતમાં પણ કોરોનાએ જ્યારે ફરી માંથુ ઉચક્યુ છે, ત્યારે અમે મંતવ્ય ન્યૂઝ તમામ નાગરીકોને અપીલ કરીએ છીએ કે, આ સમયે કોરોનાથી ડરવાની નહીં, પરંતુ સંયમ સાથે વર્તવાની જરુર છે. બને તેટલો જાહેર સંપર્ક ટાળો, કોરોના માર્ગદર્શીકા અને સરકારનાં સૂચનોનું ચુસ્તપણે પાલન કરો અને સ્વજનોને પણ કરાવો. આ કાળમાં તકેદારીએ જ સ્વસ્થ્ય હોય સંયમ સાથે નિયમોનું પાલન કરી એક જાગૃત નાગરીકની ફરજ બજાવો…