Not Set/ રાજયમાં છેલ્લા ૨૪ કલાકમાં કોરોનાના નવા 24 કેસ નોંધાયા

ગુજરાતમાં કુલ કોરોના કેસની સંખ્યા 8,25,626 છે. અને છેલ્લા 24 કલાકમાં કોરોનાથી 1 વ્યક્તિનું મૃત્યુ થયું છે, કુલ દર્દીઓની સંખ્યા 8,15,855 છે

Top Stories
ccc રાજયમાં છેલ્લા ૨૪ કલાકમાં કોરોનાના નવા 24 કેસ નોંધાયા

નવરાત્રી ચાલી ત્યારે સરકાર વધુ એલર્ટ બની છે માટે રાજ્યમાં કોરોનાની સ્થિતિ હાલ સામાન્ય છે કોરોનાના નવા કેસમાં નજીવો વધારો જોવા મળી રહ્યાે છે ,એકદરે રાજ્યમાં કોરોનાની સ્થિતિ નિયંત્રણમાં જોવા મળી રહી છે. ગુજરાતમાં છેલ્લા 24 કલાકમાં કોરોના સંક્રમણના 24કેસ નોંધાયા છે.

રાજ્યમાં હાલ કોરોનાની સ્થિતિ  અકુંશમાં હોવાથી જનજીવન રાબેતા મુજબ બન્યું છે ,રાજ્યમાં છેલ્લા 24 કલાકમાં કોરોનાના નવા સક્રમણના 24કેસ નોંધાયા છે જે ગઇકાલની સરખામણીમાં નજીવો વઘારો છે. જ્યારે ગુજરાતમાં કુલ કોરોના કેસની સંખ્યા 8,25,626 છે. અને છેલ્લા 24 કલાકમાં કોરોનાથી 1 વ્યક્તિનું મૃત્યુ થયું છે. આરોગ્ય વિભાગના આંકડા પરથી સ્પષ્ટ છે કે રાજ્યમાં કોરોનાની પરિસ્થિતિ સામાન્ય બની છે. રાજ્યમાં કોરોનાને માત આપનાર દર્દીઓની સંખ્યા પણ વધી છે .કોરોનાને  હરાવીને સાજા થઇને ડિસ્ચાર્જ થયેલા દર્દીઓની સંખ્યા 17છે.અને કોરોનાથી સાજા થયેલા કુલ દર્દીઓની સંખ્યા 8,15,855 છે. હજુપણ કોરોનાના 182 એક્ટિવ કેસ છે

ઉલ્લેખનીય છે કે ગુજરાત સરકાર  કોરોનાને લઇને એગ્રેસર જોવા મળે છે, હાલ સરકારે વેક્સિનેશન પર ભાર મુક્યો છે. રાજ્યમાં અનેક સ્થળો પર વેક્સિનેશન સેન્ટર પણ ખોલવામાં આવી રહ્યા છે.અમદાવાદના હોટસ અને રેસ્ટોરેન્ટમાં વેક્સિનના ડોઝ લીધા નહીં હોય તો પ્રેવશ આપવામાં આવશે નહી