રાજ્યમાં હાલ કોરોનાની સ્થિતિ અકુંશમાં હોવાથી જનજીવન રાબેતા મુજબ બન્યું છે ,રાજ્યમાં છેલ્લા 24 કલાકમાં કોરોનાના નવા સક્રમણનાકેસમાં ઘટાડો જોવા મળી રહ્યો છે .જેમાં આજે 20કેસ નોંધાયા છે. જ્યારે ગુજરાતમાં કુલ કોરોના કેસની સંખ્યા 8,26,294છે. જ્યારે છેલ્લા 24 કલાકમાં કોરોનાથી એક દર્દીનું મોત થયું થયું નથી.
આ પણ વાંચો :ગુજરાત / રાજયમાં દિવાળી વેકેશન બાદ પ્રાથમિક શાળાઓ શરૂ કરવાની વિચારણા
આરોગ્ય વિભાગના આંકડા પરથી સ્પષ્ટ છે કે રાજ્યમાં કોરોનાની પરિસ્થિતિ સામાન્ય બની છે. રાજ્યમાં કોરોનાને માત આપનાર દર્દીઓની સંખ્યા પણ વધી છે .કોરોનાને હરાવીને 28 દર્દીઓ સાજા થઇને ડિસ્ચાર્જ થયા છે. અને કોરોનાથી સાજા થયેલા કુલ 8,16,485દર્દીઓ સાજા થયા છે. જ્યારે હજુ પણ કોરોનાના 209કેસ એક્ટિવ છે.
આ પણ વાંચો :રાજકોટ / આ ચોકમાં હવે નહીં જોવા મળે ઈંડા-નોનવેજની લારીઓ, મનપા દ્વારા કરાઈ કાર્યવાહી
ગુજરાત સરકાર કોરોનાને લઇને એક્શન મુડમાં છે. હાલ સરકારે વેક્સિનેશન પર ભાર મુક્યો છે. રાજ્યમાં અનેક સ્થળો પર વેક્સિનેશન સેન્ટર પણ ખોલવામાં આવી રહ્યા છે.અમદાવાદના હોટલ અને રેસ્ટોરેન્ટમાં પણ વેક્સિનના ડોઝ લીધા નહીં હોય તો પ્રેવશ આપવામાં આવતો નહીં. એ દિવસ દૂર નથી જ્યારે સંપુર્ણ દેશમાં રસીકરણ પુર્ણ થશે.