Not Set/ રાજયમાં છેલ્લા ૨૪ કલાકમાં કોરોનાના નવા ૩૬ કેસ નોંધાયા

ગુજરાત સરકાર  કોરોનાને લઇને એક્શન મુડમાં છે. હાલ સરકારે વેક્સિનેશન પર ભાર મુક્યો છે. રાજ્યમાં અનેક સ્થળો પર વેક્સિનેશન સેન્ટર પણ ખોલવામાં આવી રહ્યા છે.

Gujarat
Untitled 282 15 રાજયમાં છેલ્લા ૨૪ કલાકમાં કોરોનાના નવા ૩૬ કેસ નોંધાયા

રાજ્યમાં હાલ કોરોનાની સ્થિતિ  અકુંશમાં હોવાથી જનજીવન રાબેતા મુજબ બન્યું છે ,રાજ્યમાં છેલ્લા 24 કલાકમાં કોરોનાના નવા સક્રમણના કેસમાં  વધારોજોવા મળી રહ્યો છે .જેમાં આજે 36 કેસ નોંધાયા છે. જ્યારે ગુજરાતમાં કુલ કોરોના કેસની સંખ્યા 8,26,658 છે. જ્યારે છેલ્લા 24 કલાકમાં કોરોનાથી  એક  દર્દીનું  મોત થયું  .

આ પણ વાંચો :દેત્રાલ / ભાજપના મહામંત્રી સામે રામજી મંદિર તોડીપાડી બંગલો બનાવવાનો આક્ષેપ

આરોગ્ય વિભાગના આંકડા પરથી સ્પષ્ટ છે કે રાજ્યમાં કોરોનાની પરિસ્થિતિ સામાન્ય બની છે. રાજ્યમાં કોરોનાને માત આપનાર દર્દીઓની સંખ્યા પણ વધી છે .કોરોનાને  હરાવીને  16 દર્દીઓ  સાજા થઇને ડિસ્ચાર્જ થયા છે. અને કોરોનાથી સાજા થયેલા કુલ 8,16,726 દર્દીઓ સાજા થયા છે. જ્યારે હજુ પણ  કોરોનાના 331 કેસ એક્ટિવ છે.

આ પણ વાંચો :યુગાન્ડા / રાજધાની કંપાલામાં વિસ્ફોટ, સંસદ ભવનની નજીક પાર્ક કરેલી બે કારમાં બ્લાસ્ટ

ગુજરાત સરકાર  કોરોનાને લઇને એક્શન મુડમાં છે. હાલ સરકારે વેક્સિનેશન પર ભાર મુક્યો છે. રાજ્યમાં અનેક સ્થળો પર વેક્સિનેશન સેન્ટર પણ ખોલવામાં આવી રહ્યા છે.અમદાવાદના હોટલ અને રેસ્ટોરેન્ટમાં પણ વેક્સિનના ડોઝ લીધા નહીં હોય તો પ્રેવશ આપવામાં આવતો નહીં. એ દિવસ દૂર નથી જ્યારે સંપુર્ણ દેશમાં રસીકરણ પુર્ણ થશે.