Not Set/ કોરોના સંકટ વચ્ચે એમ્બ્યુલન્સ ડ્રાઈવરે 25 કિમીનાં 42 હજાર રૂપિયા પડાવ્યા

દેશમાં આજે કોરોનાને લોકોનાં જીવન પૂરી રીતે પ્રભાવિત કર્યુ છે. આજે હાલત એટલી ખરાબ બની છે કે, હોસ્પિટલમાં કોરોનાથી પીડિતા ગંભીર દર્દીઓ માટે બેડ્સ નથી, ઓક્સિજન નથી, વેન્ટિલેટર નથી, આ બધા વચ્ચે હવે માનવતા પણ નથી તેવા દ્રશ્યો સામે આવી રહ્યા છે.

Top Stories India
123 170 કોરોના સંકટ વચ્ચે એમ્બ્યુલન્સ ડ્રાઈવરે 25 કિમીનાં 42 હજાર રૂપિયા પડાવ્યા

દેશમાં આજે કોરોનાને લોકોનાં જીવન પૂરી રીતે પ્રભાવિત કર્યુ છે. આજે હાલત એટલી ખરાબ બની છે કે, હોસ્પિટલમાં કોરોનાથી પીડિતા ગંભીર દર્દીઓ માટે બેડ્સ નથી, ઓક્સિજન નથી, વેન્ટિલેટર નથી, આ બધા વચ્ચે હવે માનવતા પણ નથી તેવા દ્રશ્યો સામે આવી રહ્યા છે. જી હા, આજે દંશમાં આ સંકટની ઘડીએ પણ અમુક લોકો નફાખોરી અને લૂંટ કરવામાં આગળ છે. આવો જ એક કિસ્સો નોઈડાથી સામે આવ્યો છે.

ડબલ મ્યૂટેસન / દુનિયાનાં 17 દેશો સુધી પહોંચી ચુક્યો છે કોરોનાનો ભારતીય વેરિઅન્ટ, WHO એ ચિંતા વ્યક્ત કરી

આપને જણાવી દઇએ કે, લોકો કોરોના જેવી આફતમાં મદદ કરવાના નામે લૂંટ કરવાનો પ્રયાસ કરી રહ્યા છે. આવો જ એક કિસ્સો નોઈડામાં જોવા મળ્યો છે, જ્યાં એક એમ્બ્યુલન્સ 25 કિ.મી. જવા માટે દર્દીનાં પરિવાર પાસેથી 42 હજાર રૂપિયા લીધા હોવાનુ સામે આવ્યુ છે. પરિવારે સોશિયલ મીડિયા પર આ મામલે નોઇડા પોલીસમાં ફરિયાદ કરી છે. સેક્ટર-50 સોસાયટીમાં રહેતા અસિત દિલ્હી હાઈકોર્ટમાં એડવોકેટ છે. થોડા દિવસો પહેલા તેમને કોરોનાથી સંક્રમિત થયા હતા અને તે હોમ આઈસોલેશનમાં ચાલ્યા ગયા છે. સોમવારે તેમની તબિયત અચાનક જ લથડી હતી. તેમના ભાઈ વિષ્ણુએ કેટલીક અંગત એમ્બ્યુલન્સને ટેલિફોન કરીને શારદા હોસ્પિટલમાં જવાનું કહ્યું હતું. એક એમ્બ્યુલન્સ આવીને અસિતને લઇ પણ ગઇ, પરંતુ વચ્ચેથી પરિવારે ફોન કરીને કહ્યું કે તેમને સેક્ટર-35 માં પ્રકાશ હોસ્પિટલમાં લઇ જાવ. ત્યાં પહોંચતા જણાયું કે પલંગ ખાલી નથી. આ પછી, તેઓ તેમને કોઈક એક્સ્ટેંશન સ્થિત યથાર્થ હોસ્પિટલમાં લઈ ગયા અને અસિતને દાખલ કર્યો. હોસ્પિટલ છોડતા જ એમ્બ્યુલન્સે અસિતનાં પરિવારનાં સભ્યો પાસેથી 44,000 રૂપિયાની માંગ કરી હતી. ઘણી ચર્ચા બાદ ડ્રાઈવર માત્ર બે હજાર રૂપિયા ઘટાડવાની તૈયારી દર્શાવી હતી. વિષ્ણુએ કહ્યું કે, એમ્બ્યુલન્સનો ડ્રાઈવર લગભગ 25 કિલોમીટર ચાલ્યો હશે, પરંતુ મજબૂરીમાં તેણે પૈસા ચૂકવવા પડ્યા.

રાજકારણ / મદદનો હાથ લંબાવતા ચલો, આ આંધળી સિસ્ટમની સચ્ચાઇ બતાવતા ચલોઃ રાહુલ ગાંધી

ઉલ્લેખનીય છે કે, આજે દેશમાં એક એવા વાયરસનું સંકટ છે કે જે કોઇ પણ સમયે મને, તમને કે કોઇને પણ પોતાની ઝપટમાં લઇ શકે છે, ત્યારે આવા કપરા સમયે લોકોની મદદ કરવાની જગ્યાએ અમુક લોકો માત્ર નફો કેવી રીતે મેળવી શકાય કે પછી આ આપદાને અવસરમાં કેવી રીતે પરિવર્તિત કરી શકાય બસ માત્ર એ જ વિચારમાં હોય છે. આ એમ્બ્યુલન્સ ડ્રાઈવર તેનો એક તાજુ ઉદાહરણ બન્યો છે.

Untitled 45 કોરોના સંકટ વચ્ચે એમ્બ્યુલન્સ ડ્રાઈવરે 25 કિમીનાં 42 હજાર રૂપિયા પડાવ્યા