@આયુષી યાજ્ઞિક, મંતવ્ય ન્યૂઝ – અમદાવાદ
કોરોનાની મહામારીએ લોકોની કમર તોડી નાખી છે એવામાં આરટીઓ માંથી વાહનોના પસંદગીના નંબર મેળવવાની ડિમાન્ડ વધી છે. જેથી કહી શકાય કે અમદાવાદીઓએ સાબિત કરી બતાવ્યું કે ગેમે એટલી મુશ્કેલી હોય પણ શોખ બડી ચીજ હૈ તે જાળવી રાખવું. શોખ માટે લોકો કંઈ પણ કરી છૂટતા હોય છે. ત્યારે આજ શોખના કારણે અમદાવાદ આરટીઓ કચેરીને કોરોડો રૂપિયાની આવક થઇ છે.
અમદાવાદ આરટીઓમાં નવેમ્બર મહિનામાં નવા 11,600 વાહનો નોંધાયા હતા. જેમાંથી 3,022 વાહન ચાલકોએ પસંદગીના નંબર માટે અરજી કરી હતી. અરજીમાં જે લોકોએ ઊંચા ભાવ ભર્યા હતા તેમને પસંદગીનો નંબર પણ મળી ગયા.નવેમ્બર મહિનામાં પસંદગીના નંબરની હરાજીથી આરટીઓને 1 કરોડ 9 લાખ રૂપિયાની આવક થઈ છે. અમદાવાદ આરટીઓમાં દર 21 દિવસે નંબરની સીરિઝ પૂર્ણ થઈ જાય છે.લોકો કાર અને બાઇક માટે પસંદગીના નંબર લેતા હોય છે. આ માટે ગોલ્ડન અને સિલ્વર નંબર માટે અરજી કરવામાં આવે છે.
ટોપ ફાઇલ નંબર પર લાગેલી બોલી
નંબર- રૂપિયા
0001 5,56000
5555 1,75000
7777 1,62000
0369 1,40000
1212 1,15000
છેલ્લા ત્રણ મહિનામાં પસંદગીના નંબરથી 2 કરોડ 36 લાખની આવક થઈ છે. અમદાવાદ એક વ્યક્તિએ કાર ખરીદી અને આરટીઓમાંથી પસંદગીના નંબર માટે અરજી કરી હતી. જે વ્યક્તિ 7 નંબર માટે 32 લાખની બોલી બોલ્યો હતો. નવેમ્બર 2020માં 3,022 વાહન માલિકોએ પસંદગીના નંબર લીધા છે. આરટીઓને પસંદગીના નંબર માટે 1 કરોડ 9 લાખની આવક થઈ છે. ઓકટોબર 2020 માં 2,899 વાહન ચાલકોએ પસંદગીના નંબર લીધા હતા. જેનાથી આરટીઓને 71 લાખ 7 હજાર રૂપિયાની આવક થઈ છે. સપ્ટેમ્બર 2020માં 1,130 વાહન માલિકોએ પસંદગીના નંબર લીધા હતા. આરટીઓને પસંદગીના નંબરથી 39 લાખ 86 હજાર રૂપિયાની આવક થઈ છે.
નાની બહેનને જાનથી મારી નાખવાની ધમકી આપી નરાધમે આચર્યું દુષ્કર્મ, નોંધાઈ FIR
રિવરફ્રન્ટ પર પ્રેમીએ જાહેરમાં જ પ્રેમિકાને ઝીંક્યાં 15 લાફા, આ છે મુખ્ય કારણ
મોરબી રવાપર ગ્રામપંચાયતની મિટિંગમાં ગયેલા લોકોને કઢાયા બહાર, આ છે મુખ્ય કારણ
મંતવ્ય ન્યૂઝ દ્વારા જાહેર અપીલ –
દેશ – દુનિયા સહિત ગુજરાતમાં પણ કોરોનાએ જ્યારે ફરી માંથુ ઉચક્યુ છે, ત્યારે અમે મંતવ્ય ન્યૂઝ તમામ નાગરીકોને અપીલ કરીએ છીએ કે, આ સમયે કોરોનાથી ડરવાની નહીં, પરંતુ સંયમ સાથે વર્તવાની જરુર છે. બને તેટલો જાહેર સંપર્ક ટાળો, કોરોના માર્ગદર્શીકા અને સરકારનાં સૂચનોનું ચુસ્તપણે પાલન કરો અને સ્વજનોને પણ કરાવો. આ કાળમાં તકેદારીએ જ સ્વસ્થ્ય હોય સંયમ સાથે નિયમોનું પાલન કરી એક જાગૃત નાગરીકની ફરજ બજાવો…