ગણેશોત્સવ/ બાપ્પાના આ મંદિરમાં માફી માગીને ફરી આવી ભૂલ નહીં કરવાની પ્રતિજ્ઞા લેવામાં આવે છે

આંધ્રપ્રદેશના ચિત્તૂર જિલ્લામાં આવેલું છે. મંદિરની સ્થાપના 11મી સદીમાં ચોલ રાજા કુલોતુંગ ચોલ પ્રથમે કરી હતી. આ પ્રાચીન મંદિરના નિર્માણની કથા પણ રસપ્રદ છે

Dharma & Bhakti Navratri 2022
main 1 બાપ્પાના આ મંદિરમાં માફી માગીને ફરી આવી ભૂલ નહીં કરવાની પ્રતિજ્ઞા લેવામાં આવે છે

ભગવાન ગણપતિ બાપ્પાના ચમત્કારોની અનેક કથાઓ સાંભળી છે. અને તેમના ચમત્કારોનો અનુભવ આજે પણ થાય છે. આવા જ ચમત્કારો માટે ચિત્તૂરનું કનિપક્કમ ગણપતિ મંદિર જાણીતું છે. આ મંદિર ચમત્કારો સિવાયના અન્ય કારણે પણ જગવિખ્યાત છે. કનિપક્કમ ગણપતિ મંદિર આંધ્રપ્રદેશના ચિત્તૂર જિલ્લામાં આવેલું છે. મંદિરની સ્થાપના 11મી સદીમાં ચોલ રાજા કુલોતુંગ ચોલ પ્રથમે કરી હતી. આ પ્રાચીન મંદિરના નિર્માણની કથા પણ રસપ્રદ છે.

મંદિરનો ઇતિહાસ

1 1 બાપ્પાના આ મંદિરમાં માફી માગીને ફરી આવી ભૂલ નહીં કરવાની પ્રતિજ્ઞા લેવામાં આવે છે

માન્યતા અનુસાર, ઘણા વર્ષો પહેલા અહીં 3 ભાઈ રહેતા હતા. જેમાં એક અંધ, બીજો મૂંગો અને ત્રીજો બહેરો હતો. ત્રણેય ખેતી કરવા કૂવો ખોદતા હતા ત્યારે તેમને એક પથ્થર દેખાયો. વધારે ઊંડું ખોદકામ કરવા પથ્થર ત્યાંથી કાઢ્યોને તરત જ લોહીના ફૂવારા ઉડ્યા. કૂવામાં લાલ રંગનું પાણી ભરાઈ ગયું સાથે જ એક ચમત્કાર પણ થયો. ત્યાં તેમને પાર્વતી પુત્રની પ્રતિમા દેખાઈ. જેના દર્શન કરતાંની સાથે જ ત્રણેય ભાઈઓની વિકલાંગતા દૂર થઈ ગઈ. જોતજોતામાં આ વાત આખા ગામમાં ફેલાઈ અને દૂર-દૂરથી લોકો પ્રતિમાના દર્શનાર્થે આવવા લાગ્યા. ઘણા વિચાર-વિમર્શ બાદ પ્રતિમા ત્યાં જ સ્થાપિત કરવાનો નિર્ણય કર્યો.

મૂર્તિનો આકાર દરરોજ વધે છે

3 2 બાપ્પાના આ મંદિરમાં માફી માગીને ફરી આવી ભૂલ નહીં કરવાની પ્રતિજ્ઞા લેવામાં આવે છે

 

અહીં દર્શન કરવા આવતા ભક્તોનું માનવું છે કે મૂર્તિનો આકાર દરરોજ વધે છે. મૂર્તિના દરરોજ વધતાં પેટ અને ઘૂંટણને જોઈને મૂર્તિનું કદ વધતું હોવાનો અંદાજો લગાવી શકાય છે. કહેવાય છે કે, એક ભક્તે ભગવાન ગણેશને પહેરાવવા એક કવચ અર્પણ કર્યું હતું. જે થોડા જ દિવસોમાં નાનું પડવાને કારણે પ્રતિમાને ન પહેરાવી શકાયું. માત્ર બાપ્પાની મૂર્તિ જ નહીં જે નદીની વચ્ચે આ મંદિર આવેલું છે તે પણ  ચમત્કારી છે. રોજબરોજના ઝઘડાને લઈને પણ ભક્તો  બાપ્પાના દરબારમાં હાજર થઈ જાય છે. નાની-નાની ભૂલો ન કરવાની સોગંધ પણ લેવામાં આવે છે. જો કે ભગવાનના મંદિરમાં પહોંચતા પહેલા ભક્તોએ નદીમાં ડૂબકી મારવી પડે છે.

નદીની અનોખી વાયકા

2 2 બાપ્પાના આ મંદિરમાં માફી માગીને ફરી આવી ભૂલ નહીં કરવાની પ્રતિજ્ઞા લેવામાં આવે છે

લોકવાયકા મુજબ સંખા અને લિખિતા નામના બે ભાઈઓ હતા. બંને કનિપક્કમની યાત્રાએ નીકળ્યા હતા. લાંબી યાત્રાના કારણે બંને થાકી ગયા. ચાલતા-ચાલતા લિખિતાને ખૂબ ભૂખ લાગી. રસ્તામાં આંબાનું એક ઝાડ દેખાયું તો કેરી તોડવાની ઈચ્છા થઈ. તેના ભાઈ સંખ્યાએ રોકવાની કોશિશ કરી પરંતુ લિખિતા એકનો બે ન થયો. સંખાએ પોતાના ભાઈની ફરિયાદ ત્યાં પંચાયતમાં કરતાં સજાના ભાગરૂપે લિખિતાના બંને હાથ કાપી નાખવામાં આવ્યા. કહેવાય છે કે, લિખિતાએ બાદમાં કનિપક્કમ પાસે આવેલી આ જ નદીમાં પોતાના હાથ નાખ્યા અને બંને હાથ જોડાઈ ગયા. ત્યારથી આ નદીનું નામ બાહુદા રાખવામાં આવ્યું. બાહુદાનો અર્થ થાય છે સામાન્ય માણસનો હાથ

ભૂલ નહીં કરવાની પ્રતિજ્ઞા

1 1 બાપ્પાના આ મંદિરમાં માફી માગીને ફરી આવી ભૂલ નહીં કરવાની પ્રતિજ્ઞા લેવામાં આવે છે

મંદિરમાં પ્રવેશતાં પહેલા ભક્તો આ નદીમાં ડૂબકી લગાવીને પોતાના પાપમાંથી મુક્તિ મેળવે છે. આ નદીમાં ડૂબકી લગાવવાથી સઘળા પાપ ધોવાઈ જાય છે તેવી માન્યતા છે. લોકો અહીં ભગવાનની માફી માગીને ફરી ક્યારેય આ પ્રકારની ભૂલ નહીં કરવાની પ્રતિજ્ઞા લે છે.