બનાસકાંઠાના ધાનેરામાં વરસાદને પગલે કૈસાલનગર બેટમાં ફેરવાયું હતું.તંત્રને અનેક વાર કેસાલનગરના રહિશોએ રજૂઆત કરી છે.છેલ્લા આઠ વર્ષથી અહીં સમસ્યા જેમની તેમ જ છે.જેને પગલે સ્થાનિકોમાં રોષ જોવા મળી રહ્યો છે. સામાન્ય વરસાદ પડતાની સાથે જ કૈલાસનગર બેટમાં ફેરવાઈ જાય છે.સોસાયટીના રસ્તા પર વરસાદી પાણીની સાથે ગટરના પાણી અંદાજે 2 ફૂટ કરતા વધુ ભરાયા છે.ધાનેરા માં વરસાદ ની શરૂઆત થતા જ કૈલાસ નગર ફેરવાયું બેટ માં છેલ્લા આઠ વર્ષની સમસ્યા છતાં કોઈ ઉકેલ ન આવતા સ્થાનિક માં રોષ.
ધાનેરામાં વરસાદી પાણી ભરાવવાની સમસ્યા વર્ષો થી અનેક વિસ્તાર પાણીમાં ગરકાવ થવાની સ્થિતિ નસીબે લખાયેલ છે જો વાત કરવામાં આવે કૈલાસ નગરની તો અહીંયા વરસાદી પાણી ધર સુધી પહોંચ્યા છે અને સોસાયટી ના રસ્તા પર વરસાદી પાણી ની સાથે ગટર ના પાણી અંદાજે 2 ફૂટ કરતા વધુ ભરાયા છે.
કૈલાશ નગર સોસાયટી માં 3 દિવસ થી પાણી ભરાયા છે અને આજે વધુ વરસાદ આવતા સ્થાનિકો હાલાકી ભોગવી રહ્યા છે ધર બહાર નીકળી શકાતું નથી કોઈ પણ સાધન સોસાયટીમાં પ્રવેશી શકતું નથી સોસાયટીમાં રોગચાળાએ માઝા મૂકી છે છતાં પાલિકા તંત્ર નિદ્રા માં છે. ધાનેરામાં પુર સમયે આવેલી ભયકર તાસીર માંથી કઈ શીખ્યું નથી માત્ર ને માત્ર સતા નું રાજકારણ રમાઈ રહ્યું છે અને સ્થાનિકો પાલિકા ના પાપે હાલાકી ભોગવી રહ્યા છે.
આ પણ વાંચો: હવે તિરંગો વહેંચવા બદલ ‘માથું ધડથી અલગ કરવાની ધમકી’, ISIનો પણ ઉલ્લેખ, વાંચો શું છે સમગ્ર ઘટના
આ પણ વાંચો:PM મોદીએ અરવિંદ કેજરીવાલને જન્મદિવસની શુભેચ્છા પાઠવી, CM માટે લખી આ વાતો
આ પણ વાંચો: ભારતમાં નવા COVID-19 કેસમાં 40.9% ઘટાડો, છેલ્લા 24 કલાકમાં 8813 કેસ