કોરોના કહેર વચ્ચે ગુજરાતમાં આગામી ત્રણ દિવસ ભારે સાબિત થાય તેવી શક્યતા છે. 21 થી 23 માર્ચે રાજ્યના કમોસમી વરસાદ પડી શકે છે. ક્યા પડી શકે છે કમોસમી વરસાદો
- વાતાવરણમાં જોવા મળશે પલટો
- જગતના તાતની ચિંતામાં વધારો
- કેરીના પાકને વ્યાપક નુકસાનની ભીતિ
ગુજરાતના ખેડૂતો માટે કોરોના વચ્ચે ફરી એકવાર હવામાન વિભાગે માવઠાની આગાહી કરી છે. હવામાન વિભાગે રાજ્યના અનેક વિસ્તારોમાં વરસાદની આગાહી કરતા જગતનો તાત ચિંતામાં પેઠો છે. હવામાન વિભાગના મતે 21થી 23 માર્ચ સુધી વાતાવરણમાં પલટો આવી શકે છે. રાજ્યના ગીર સોમનાથ, તાપી, નર્મદામાં હવામાન વિભાગે વરસાદની આગાહી કરવામાં આવી છે. એટલું જ નહીં હવામાન વિભાગે ગાજવીજ સાથે વરસાદ પડવાની આગાહી કરતા કેરીના પાકને વ્યાપક નુકસાન થઈ શકે છે.
અમદાવાદના વાતાવરણમાં પણ પલટો આવશે. જ્યારે સૌરાષ્ટ્ર, કચ્છમાં બે દિવસની હિટવેવની આગાહી કરી છે. હવામાન વિભાગના મતે ગુજરાત સિવાય દિલ્હી, હરિયાણા, પંજાબમાં પણ કમોસમી વરસાદની આગાહી કરી છે. હવામાન વિભાગે રાજ્યના ત્રણ જિલ્લાઓમાં વરસાદની આગાહી સાથે જ અમદાવાદ, ગાંધીનગર, વડોદરા, સૌરાષ્ટ્ર-કચ્છ સહિત અનેક વિસ્તારમાં આગામી બે દિવસમાં કાળઝાળ ગરમીની પણ આગાહી કરી છે. મહત્વનું છે કે રાજ્યમાં ગરમીનું પ્રમાણ દિવસે દિવસે વધી રહ્યું છે.