Covid-19/ ડાયમંડ સિટીમાં વધ્યા કોરોનાનાં કેસ, વધુ 2 શાળાનાં વિદ્યાર્થીઓ પોઝિટિવ

રાજ્યમાં ધીમે ધીમે કોરોનાનાં કેસમાં વધારો થઇ રહ્યો છે. ડાયમંડ સિટી સુરતમાં પણ હવે આ વાયરસે કેસની સંખ્યામાં વધારો કરવાનું શરૂ કરી દીધુ છે. શહેરની શાળાઓમાં ઝડપથી કોરોનાનાં કેસ વધી રહ્યા છે. 

Top Stories Gujarat Surat
સુરતમાં બાળકો સંક્રમિત
  • સુરતની શાળાઓમાં વધી રહ્યા છે કોરોના કેસ
  • વધુ 2 સ્કૂલોમાં વિદ્યાર્થીઓ કોરોના પોઝિટિવ
  • LP સવાણી સ્કૂલમાં 2 વિદ્યાર્થીઓને કોરોના
  • કોરોના સંક્રમિત પિતાના સંપર્કમાં આવતા પોઝિટિવ
  • ધો. 7 અને 11 માં અભ્યાસ કરતા હતા બંને ભાઈ
  • I.N ટેકરાવાળા સ્કૂલમાં 1 વિદ્યાર્થી કોરોના પોઝિટિવ
  • ધોરણ 11 માં અભ્યાસ કરે છે વિદ્યાર્થી
  • સલામતીના ભાગરૂપે વર્ગખંડ કરાયો બંધ
  • LP સવાણીમાં 52 વિદ્યાર્થીઓના કરાયા ટેસ્ટ
  • તમામ વિદ્યાર્થીઓના રિપોર્ટ આવ્યા નેગેટિવ

રાજ્યમાં ધીમે ધીમે કોરોનાનાં કેસમાં વધારો થઇ રહ્યો છે. ડાયમંડ સિટી સુરતમાં પણ હવે આ વાયરસે કેસની સંખ્યામાં વધારો કરવાનું શરૂ કરી દીધુ છે. શહેરની શાળાઓમાં ઝડપથી કોરોનાનાં કેસ વધી રહ્યા છે.

આ પણ વાંચો – પેપર ફૂટવાનો મામલો / સૈારાષ્ટ્ર યુનિવર્સિટીમાં બીકેામનું પેપર ફુટવાના મામલે પરિક્ષા રદ કરવામાં આવી,અર્થશાસ્ત્રનું પેપર રદ કર્યું

એક તરફ રાજ્ય સરકાર શાળાઓને ઓફલાઇન શરૂ કરી રહી છે એટલે કે વિદ્યાર્થીઓને શાળામાં જવાની ફરજ પાડી રહી છે ત્યારે હવે સુરતમાં શાળાઓમાં જ કોરોનાનાં કેસ વધતા વાલીઓમાં ચિંતાનું મોજું ફરી વળ્યુ છે. જણાવી દઇએ કે, શહેરમાં બે શાળાઓ જેમા LP સવાણી શાળામાં 2 વિદ્યાર્થીઓ કોરોના પોઝિટિવ હોવાનુ જાણવા મળ્યુ છે. કહેવાઇ રહ્યુ છે કે, આ વિદ્યાર્થી તેના કોરોના સંક્રમિત પિતાનાં સંપર્કમાં આવતા પોઝિટિવ થયો હતો. બીજી તરફ I.N ટેકરાવાળા શાળામાં એક વિદ્યાર્થી કોરોના પોઝિટિવ મળી આવ્યો છે. આ વિદ્યાર્થી ધોરણ 11 માં અભ્યાસ કરે છે. તંત્રએ સલામતીનાં ભાગરૂપે વર્ગખંડને બંધ કર્યો છે. વળી વર્ગનાં તમામ વિદ્યાર્થીઓનાં કોરોનાનાં ટેસ્ટ કરવામાં આવ્યા છે. જેમા તમામ વિદ્યાર્થીઓનાં રિપોર્ટ નેગેટિવ આવ્યા છે.

આ પણ વાંચો – OMG! / 60 વર્ષની દાદી સામે 20 વર્ષની પૌત્રીનું ફિગર પણ લાગે છે ફિક્કુ, વિશ્વાસ ન આવે તો જોઇ લો Photos

ઉલ્લેખનીય છે કે, ગુજરાતમાં કોરોનાનો કહેર છેલ્લા ઘણા દિવસોથી જોવા મળી રહ્યો છે. છેલ્લા થોડા મહિનાથી શાંત રહેલો કોરોનાનો કહેર હવે ફરી જોવા મળી રહ્યો છે અને સતત કોરોનાનાં કેસમાં વધારો જોવા મળી રહ્યો છે. જેના લીધે લોકોમાં ફરી ભયનો માહોલ ઉભો થતો જોવા મળી રહ્યો છે. જ્યારે હાલનાં સમયમાં કોરોના નવા વેરિઅન્ટ ઓમિક્રોને પણ હાહાકાર સર્જ્યો છે. સતત વધી રહેલા કેસનાં કારણે આવનારા સમયમાં રાજ્ય સરકાર અને તંત્રની મુશ્કેલીઓમાં વધારો થાય તો નવાઇ નથી.