જ્યારથી સાનિયા મિર્ઝાએ પાકિસ્તાની ક્રિકેટર શોએબ મલિક સાથે લગ્ન કર્યા છે ત્યારથી સાનિયા મિર્ઝાની નાગરિકતાને લઈને લોકોએ ઘણીવાર સવાલ ઉઠાવ્યા છે અને જયારે ભારત અને પાકિસ્તાન દેશનો સ્વતંત્રતા દિવસ આવે છે ત્યારે આ સવાલ વધારે ઉઠાવવામાં આવે છે.
એચટી બ્રંચ સાથે વાત કરતાં સમયે સાનિયા એ કહ્યું હતું કે,
“મેં ક્રિકેટર સાથે લગ્ન બંને દેશોને ભેગા કરવા માટે નથી કર્યા. લોકોને લાગે છે કે મેં અને શોએબએ લગ્ન બંને દેશોને ભેગાં કરવા માટે કર્યા છે. દર વર્ષે જયારે પણ હું મારા સાસરે પાકિસ્તાન જાવ છું ત્યારે મને ત્યાં ઘણો પ્રેમ મળે છે.”
14 ઓગસ્ટ પાકિસ્તાન દેશનાં સ્વતંત્રતા દિવસ પર સાનિયા મિર્ઝાએ ટ્વીટ કર્યું હતું,
“મારા પાકિસ્તાની મિત્રોને તમારી ઇન્ડિયન ભાભી તરફથી સ્વતંત્રતા દિવસની શુભકામના.”
પરંતુ એમનાં કોઈ ફોલોવરે ટ્વીટ કર્યું કે તમારો પણ સ્વતંત્રતા દિવસ આજે જ છે ને. ત્યારે સાનિયા મિર્ઝાએ આનો વળતો જવાબ આપ્યો કે,
જી નહી! મારો અને મારા દેશનો સ્વતંત્રતા દિવસ કાલે છે અને મારા પતિ અને એમનાં દેશનો આજ. આશા રાખું છુ કે તમારી શંકા દુર થઇ ગઈ હશે. જોકે તમારો સ્વતંત્રતા દિવસ ક્યારે છે કારણ કે એવું લાગે છે કે તમને ઘણો ભ્રમ છે.’
મંગળવારે સાનિયા મિર્ઝાએ લોકોને પ્રેમ અને શાંતિથી રહેવાની સલાહ આપી હતી. એમણે ટ્વીટ કર્યું હતં કે,
“શું નફરત ન કરવી એ હકીકતમાં આટલું કઠીન છે. જ્યારથી આપણો જન્મ થયો છે ત્યારથી આપણને પ્રેમ કરવાનું શીખવાડવામાં આવ્યું છે અને પ્રેમ કરવું જ વધારે પ્રાકૃતિક હોય છે. આપનણે ક્યારથી આપણી એવી દુનિયા બનાવી લીધી જ્યાં પ્રેમ ઉપર નફરતની જીત થવા લાગી.”
જયારે એમના કોઈ ફોલોવરે લખ્યું કે ટ્રોલને ગંભીરતાથી ન લે. બાળકનાં સ્વાસ્થ્યનું ધ્યાન રાખે આની અસર એના પર ન થાય ત્યારે સાનિયાએ લખ્યું કે,
“હું હસી રહી છુ કે મારા વિચારો બદલવા માટે ટ્રોલથી ઘણું વધારે કરવું પડશે.”