કેન્દ્ર સરકાર અંદામાન નિકોબાર દ્વીપસમૂહના ત્રણ દ્વીપને બદલવા જઈ રહી છે.સુત્રોના જણાવ્યા પ્રમાણે રોસ, નીલ અને હૈવલોક દ્વીપના નામ બદલાઈ જવાના છે.
રોસ દ્વીપનું નમાં બદલીને નેતાજી સુભાષ ચંદ્ર બોઝ રાખવામાં આવશે, નીલ દ્વીપનું નામ બદલીને શાહિદ દ્વીપ કરી દેવામાં આવશે અને હૈવલોકનું નમાં બદલીને સ્વરાજ દ્વીપ રાખવામાં આવશે.
વર્ષ ૨૦૧૭માં માર્ચ મહિનામાં ભાજપના નેતાએ રાજ્યસભામાં આ ત્રણ દ્વીપના નામ બદલવા માટેની માંગ કરી હતી. એલ. એ ગણેશને કહ્યું હતું કે વર્ષ ૧૮૫૭માં આ જગ્યાના નામ નેતાના નામ પરથી રાખવામાં આવે એ ઘણી શરમજનક વાત છે.
હૈવલોક દ્વીપનું નામ બ્રિટીશ જનરલ સર હેન્રી હૈવલોક પરથી રાખવામાં આવ્યું હતું જેણે બ્રિટીશ શાસન દરમ્યાન ભારતમાં સેવા આપી હતી. આ કેન્દ્ર શાસિત પ્રદેશનો સૌથી મોટો દ્વીપ છે.