મુંબઈ,
મુંબઈના ખાર વિસ્તારમાં આવેલી 5 માળની બિલ્ડિંગનો ભાગ ધરાશાયી થવાની ઘટના સામે આવી છે. ઘટનાની માહિતી મળતાં રાહત અને બચાવ ટીમો ઘટના સ્થળે પહોંચી ગઈ છે અને કાટમાળ હટાવવાની કામગીરી શરૂ કરી દીધી છે.
તેમજ ઘાયલોને નજીકની હોસ્પિટલમાં લઈ જવામાં આવી રહ્યા છે. જો કે, અકસ્માતમાં ઘાયલ થયેલા લોકોની સંખ્યા અંગે હજી સુધી કોઈ માહિતી બહાર આવી નથી.
અકસ્માત બપોરના બે વાગ્યે બન્યો હતો જ્યારે બિલ્ડિંગની એલિવેટર અને સીડી બાજુ અચાનક ધરાશાયી થઈ હતી. જે બાદ વિસ્તારમાં ચકચાર ફેલાઇ હતી. જ્યારે બીએમસીના અધિકારીઓ પણ બિલ્ડિંગમાં પહોંચી રહ્યા છે.
નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાવ મંતવ્ય ન્યૂઝ સાથે…
તમે અમને ફેસબુક, ટ્વીટર, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.
લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ આપના ફોન પર સૌથી ઝડપી મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો “મંતવ્ય ન્યૂઝ” ની નવી મોબાઇલ એપ્લિકેશન.