ઢાકા
હિંસાને લીધે મ્યાનમાર છોડીને બાંગ્લાદેશ આવેલા રોહીન્ગ્યા મુસ્લિમો માટે ભારતે મદદનો હાથ લંબાવ્યો છે. સોમવારે ભારતે બાંગ્લાદેશના શરણાર્થી શિબિરમાં રહેલા રોહીન્ગ્યા મુસ્લિમોને ૧૧ લાખ લીટરથી વધારે કેરોસીન અને ૨૦,૦૦૦ ગેસના સ્ટવ સહિતની સામગ્રી આપી હતી.
મ્યાનમારમાંથી મોટી સંખ્યામાં રોહીન્ગ્યા મુસ્લિમો આવી જતા બાંગ્લાદેશ મુશ્કેલીમાં પડી ગયું છે. આ મામલે બાંગ્લાદેશે મ્યાનમાર સાથે સમાધાન કરવા માટે દબાવ કર્યો છે.
ગયા વર્ષે ઓગસ્ટ મહિનાથી ૭ લાખ રોહીન્ગ્યા મુસ્લિમો મ્યાનમારના રાખીન વિસ્તારમાંથી ભાગીને બાંગ્લાદેશ આવી ગયા હતા. તો બીજી બાજુ ઓગસ્ટમાં જ મ્યાનમારમાં રોહીન્ગ્યા મુસ્લિમોના કથિત આતંકવાદ સંગઠન વિરુદ્ધ અભિયાન પણ ચલાવ્યું હતું.
બાંગ્લાદેશમાં ભારત તરફથી ૧૧ લાખ લીટર કેરોસીન અને ૨૦ હજાર જેટલા કેરોસીનથી ચાલતા સ્ટવ મોકલ્યા છે. ભારતના માહિતી સુત્રોના જણાવ્યા પ્રમાણે બાંગ્લાદેશે જેટલી સહાયતા માંગી હતી તે પ્રમાણે ભારતે તેને મદદ કરી છે.
રાખીન વિસ્તારમાંથી આવેલા રોહીન્ગ્યા મુસ્લિમોને માનવતા દર્શાવતું ભારતનું આ ત્રીજું પગલું છે.
ઉલ્લેખનીય છે કે મ્યાનમારના રાખીન પ્રાંતથી સેન્ય અભિયાન બાદ લગભગ ૭ લાખ મુસ્લિમ રોહીગ્યા બાંગ્લાદેશના શરણાર્થી શિબિરોમાં જીવન ગાળવા મજબુર બન્યા છે. ત્યાં હજુ પણ લાખો રોહીગ્યાની જગ્યા અને જીવન જીવવા માટેની મૂળભૂત જરૂરિયાતો માટે પણ સંઘર્ષ કરવો પડે છે. આ દરમિયાન બાંગ્લાદેશ સરકાર વધતી જનસંખ્યા પર નિયંત્રણ લાવવા માટે કામ કરી રહી છે