જમ્મુ-કાશ્મીરના શોપિયાં જિલ્લામાં મંગળવારની સવારે સુરક્ષાબળો અને આતંકવાદીઓ વચ્ચે અથડામણ શરૂ થઈ, જેમાં બે આતંકીઓને ઠાર થયા છે. સમાચાર એજન્સી અનુસાર, સુરક્ષાબળોને શોપિયાં જિલ્લાના અવનીરા વિસ્તારોમાં આતંકીઓની છૂપાયેલા હોવાનું ઇનપુટ મળ્યું હતું.
ત્યારબાદ સેનાએ તરત જ સર્ચ ઓપરેશ શરૂ કર્યું અને વિસ્તારની ધેરાબંધી કરી દીધી. આ દરમિયાન આતંકીઓએ જવાનો પર હુમલો કર્યો. બદલામાં જવાબી કાર્યવાહી શરૂ કરી જેમાં બે આતંકી ઠાર થયા છે. અત્યારે આતંકવાદીઓની ઓળખ થઈ નથી.
જમ્મુ-કાશ્મીરમાં ભારતીય સુરક્ષાબળોએ આ વર્ષે 6 જૂન સુધી 100થી વધુ આતંકીઓને ઠાર કર્યા છે. સમાચાર એજન્સી જણાવ્યું હતું કે 2019 માં સુરક્ષાબળોએ અત્યાર સુધી 106 આતંકીઓને ઠાર કર્યા હતા, તો ત્યાં જ વર્ષ 2018 માં 254 આતંકીઓનો ઢેર કર્યા હતા.
તો, પાકિસ્તાન દ્વારા 6 જૂન સુધી 1,170 વખત સંઘર્ષ વિરામનું ઉલ્લંઘન કર્યું, જ્યારે 2018 માં 1,629 વખત પાકિસ્તાન દ્વારા સીઝફાયરનું ઉલ્લંઘન કર્યું હતું.