જમ્મુ-કાશ્મીરમાં શુક્રવારે નૌશેરા બ્લાસ્ટમાં બ્લાસ્ટ થયા હોવાના સમાચાર મળ્યા છે. આ આઈઈડીના બ્લાસ્ટમાં ભારતીય સેનાના બે જવાન શહીદ થયા હતા.
આની પહેલા પણ જમ્મુ-કાશ્મીરમાં રાજૌરી જીલ્લામાં એલઓસી આઈઈડી બ્લાસ્ટ થયો હતો જેમાં એક જુનીયર અધિકારી અને એક જવાન ઘાયલ થયા હતા.
સુત્રોના જણાવ્યા પ્રમાણે એલઓસી પાસે સેનાના જવાનોને નિશાનો બનાવવા માટે અજાણ્યા આતંકીઓએ વિસ્ફોટક સામગ્રી મુકેલી હતી.
ગુરુવારે ભારતીય સેનાના એક મેજર અને બીએસએફના જવાન પણ પાકિસ્તાન તરફથી થયેલી ગોળીબારીમાં ઘાયલ થયા હતા.