પીએમ મોદીએ હવે સંસદમાં અને અગત્યની બેઠકોમાં ગેરહાજર રહેનારા પોતાના સાંસદો અને મંત્રીઓને કડક શબ્દોમાં ચેતવણી આપીને કામમાં લાગી જવા કહ્યું છે, મંત્રીઓને સૂચના અપાઇ છે કે દરરોજ સાંજે તેમને પોતાના કામનો રિપોર્ટ પીએમ કાર્યાલયને કરવાનો રહેશે,
ભારતીય જનતા પાર્ટીની સંસદીય દળની બેઠકમાં વડાપ્રધાન મોદી, અમિત શાહ, ભાજપના કાર્યકારી અધ્યક્ષ જે.પી.નડ્ડી, સંરક્ષણ મંત્રી રાજનાથ સિંહ સહિતના નેતાઓ હાજર રહ્યાં હતા, વડાપ્રધાન મોજીએ કહ્યું કે રાજકારણથી હટીને સાંસદોએ કામ કરવું જોઇએ, દેશમાં જળ સંકટ છે, તેના પર દરેક સાંસદોએ ધ્યાન આપવાની જરૂર છે,
સંસદમાં અને અગત્યની બેઠકોમાં મંત્રીઓએ અને સાંસદોએ હાજર રહેવું પડશે, બધા સાંસદોને કડક શબ્દોમાં આદેશ આપવામાં આવ્યાં છે કે તેઓ પોતાના મતવિસ્તારનાં પ્રશ્નો ઉકેલવા પ્રજાનો સંપર્ક કરે અને પ્રજા વચ્ચે જઇને તેમની સમસ્યાઓ નું નિરાકરણ કરવું જોઇએ.
નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાવ મંતવ્ય ન્યૂઝ સાથે…
તમે અમને ફેસબુક, ટ્વીટર, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.
લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ આપના ફોન પર સૌથી ઝડપી મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો “મંતવ્ય ન્યૂઝ” ની નવી મોબાઇલ એપ્લિકેશન.