શિવસેનાનાં નેતા સંજય રાઉત અને મહારાષ્ટ્રમાં એનસીપીનાં અધ્યક્ષ શરદ પવાર સાથેની બેઠક બાદ દિલ્હીમાં પણ હલચલ વધી ગઇ છે. વિધાનસભા પક્ષની બેઠકમાં એકનાથ શિંદે ધારાસભ્ય પક્ષનાં નેતા તરીકે ચૂંટાયા ત્યારે ભાજપનાં 50-50 નાં ફોર્મ્યુલા પર શિવસેના નરમ દેખાઈ હતી. કારણ કે ઉદ્ધવ ઠાકરેએ પહેલેથી જ નક્કી કરી લીધું છે કે શિવસેના વતી મુખ્યમંત્રી આદિત્ય ઠાકરે હશે. પરંતુ શરદ પવાર સાથે સંજય રાઉતની મુલાકાત બાદ શિવસેનાનું વલણ વધુ કડક બન્યું છે.
આજે સવારે સંજય રાઉતે કહ્યું હતું કે, મહારાષ્ટ્રમાં સરકાર બનાવવા માટે ભાજપ સાથે કોઈ વાતચીત થઈ નથી અને આ સાથે તેમણે એમ પણ કહ્યું કે મહારાષ્ટ્રમાં આગામી મુખ્યમંત્રી શિવસેનાનો રહેશે. તો શું શિવસેના એનસીપીનાં ટેકાથી સરકાર રચવા માટે તૈયાર છે? પરંતુ શું શિવસેના પણ આ માટે કોંગ્રેસનો ટેકો લેવાની સંમતિ આપશે? આ માટે આપણે ભૂતકાળની રાજકીય ઘટનાઓ પર પણ ધ્યાન આપવું પડશે. કોંગ્રેસ અને શિવસેના વચ્ચે ઉંડા વૈચારિક મતભેદ હોઈ શકે છે, પરંતુ તક ઉભી થાય ત્યારે બંને પાર્ટીઓ એક સાથે થઈ ગઈ છે.
આપને જણાવી દઇએ કે, 2007 માં યોજાયેલી રાષ્ટ્રપતિની ચૂંટણીમાં શિવસેનાએ કોંગ્રેસનાં ઉમેદવાર પ્રતિભા પાટિલને ટેકો આપ્યો હતો. આ પછી, 2012 ની રાષ્ટ્રપતિની ચૂંટણીનાં કોંગ્રેસનાં ઉમેદવાર પ્રણવ મુખર્જીને પણ શિવસેનાનો ટેકો મળ્યો હતો. વર્ષ 2018 માં શિવસેનાનાં મુખપત્ર સામનામાં સંજય રાઉતે લખ્યું હતુ કે, ફક્ત ‘ઇમર્જન્સી’ ના નિર્ણયથી જ ઇન્દિરા ગાંધીનાં યોગદાનને ભૂલાવી શકાય નહી.
રાઉતે વધુમાં લખ્યું કે, ઈન્દિરા ગાંધી લોકશાહીનાં સમર્થક હતા અને કટોકટી બાદ તેમણે ચૂંટણી પણ લડી અને હારી ગયા હતા. અગાઉ, કટોકટીનાં તુરંત પછી 1977 ની લોકસભાની ચૂંટણી દરમિયાન બાલાસાહેબ ઠાકરે અને તેમનુ સંગઠન શિવસેના ઇન્દિરા ગાંધીની આગેવાની હેઠળનાં કોંગ્રેસનાં સમર્થનમાં હતા. આ પછી, તેમણે 1980 ની ચૂંટણીમાં પણ કોંગ્રેસને ટેકો આપ્યો હતો. આ બંને લોકસભાની ચૂંટણીમાં શિવસેનાએ જ ચૂંટણીમાં પ્રવેશ કર્યો ન હતો.
નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાવ મંતવ્ય ન્યૂઝ સાથે…
તમે અમને ફેસબુક, ટ્વીટર, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.
લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ આપના ફોન પર સૌથી ઝડપી મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો “મંતવ્ય ન્યૂઝ” ની નવી મોબાઇલ એપ્લિકેશન.