ગુલબર્ગ હત્યાકાંડમાં તત્કાલીન મુખ્યમંત્રી નરેન્દ્ર મોદીની કલીનચીટને પડકારતી જાકીયા ઝાફરીની અરજી હાઇકોર્ટે ફગાવી દીધી છે. હાઇકોર્ટે જણાવ્યું કે, આ મામલે નીચલી કોર્ટ વધુ તપાસ કરી શકે છે. આ પીટીશનમાં માંગણી કરવામાં આવી હતી કે, મોદી અને સિનીયર પોલીસ ઓફિસર્સ સહિત ૫૯ આ હત્યાકાંડમાં સામેલ હોવાથી તેઓને આરોપી બનાવવામાં આવે, પરંતુ આ મામલે અરજી હાઇકોર્ટે ફગાવી દીધી છે.
મહત્વનું છે કે, આ પીટીશન કોંગ્રેસના પૂર્વ સાંસદ અહેસાન જાફરીની પત્ની જાકીયા જાફરીએ દાખલ કરી હતી. આ અંગે સુનાવણી ગત ૩ જુલાઈએ પૂરી થઇ હતી અને ત્યારબાદ આજે ૫ ઓકટોબરે હાઇકોર્ટે રદ કરી છે.